રાજકોટમાં પિયર આવેલી દીકરીએ બાથરૂમમાં જઈ ગળામાં પોતાના હાથે છરી મારી જિંદગીનો અંત આણ્યો

  • April 19, 2025 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાટડીના ઘાસપુર ગામે પિતાના ઘરે આટો દેવા આવેલી દીકરીએ બાથરૂમમાં જઈ ગળામાં પોતાના હાથે છરી મારી આત્મહત્યા કરી લેતા પરિવારમાં ભારે કલ્પાંત સર્જાયો છે. ધાંગધ્રાના હરીપર ગામે સાસરું ધરાવતી મહિલા ત્રણ દિવસ પહેલા પતિ, દીકરી સાથે પિતાના ઘરે આવી હતી.. આપઘાત કરનાર મહિલાના ભાઈનું બે મહિના પહેલા મૃત્યુ નિપજતા તેના વિરહમાં પગલું ભરી લીધાની આશંકા જણાઈ રહી છે. મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે


પ્રાપ્ત વિગત મુજબ ધ્રાંગધ્રાના હરીપર ગામે સાસરું ધરાવતી મીનાબેન કિશોરભાઈ રાઠોડ (ઉ.વ.42)ના મહિલા ગઈકાલે સુરેન્દ્રનગરના પાટડીના ઘાસપુર ગામે રહેતા પિતા મંગાભાઇ વાઘેલાના ઘરે હતી ત્યારે બાથરૂમમાં ન્હાવા જવાનું કહી પોતાના હાથે ગળામાં છરી મારી આત્મહત્યા કરી લીધી હતી. પિતા મંગાભાઇ લઘુશંકા કરવા માટે જતા પાણીમાં લોહી વહેતું જોઈ દરવાજો ખટખટાવ્યો હતો. પરંતુ દરવાજો ન ખોલતા સ્ટોપર તોડી અંદર જોતા પુત્રી લોહી લુહાણ હાલતમાં પડી હતી. પિતાએ બુમાબુમ કરતા પરિવારના સભ્યો દોડી ગયા હતા અને તાકીદે વિરમગામ હોસ્પિટલાએ ખસેડી હતી ત્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસએ સ્થળ અને હોસ્પિટલ એ પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે.


આપઘાત કરનાર મીનાબેનનાપતિ કિશોરભાઈ ખેતીકામ કરે છે અને સંતાનમાં એક દીકરો દીકરી છે, પોતે પાંચ બહેન અને એક ભાઇમાં વચેટ હતા. તા.24-2ના એકના એક સહદેવએ ઝેરી દવા પી ને આપઘાત કરી લેતા પાંચેય બહેને એકનો એક ભાઈ ગુમાવતા શોકમાં ગરકાવ હોવાથી તેના વિરહમાં પગલું ભરી લીધાનું લાગી રહ્યું છે. વધુ તપાસ વિરમગામ પોલીસે હાથ ધરી છે. મહિલાના મોતથી પરિવારમાં શોક છવાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application