આજે મહાશિવરાત્રીનો પાવન દિવસ દેશભરમાં શ્રદ્ધા અને ભકિતથી ઉજવાઇ રહ્યો છે. દેશના ૧૨ જ્યોતિર્લીંગ પૈકીના એક ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર મંદિરના દ્રાર રાતે ૨.૩૦ કલાકથી ભકતો માટે ખુલ્લા મૂકી દેવાયા છે અને આજે ૪૪ કલાક સુધી સતત મંદિર ખુલ્લુ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે દેશનું આ એકમાત્ર યોતિલગ છે કે યાં શિવ નવરાત્રી ઉજવાય છે.
મહાશિવરાત્રીના અવસર પર ભકતો માટે દર્શન કરવા માટે આજે મધરાતે ૨.૩૦ કલાકે મહાકાલેશ્વર મંદિરના બાબા મહાકાલના દરવાજા ખોલવામાં આવ્યા હતા. મંદિર સતત ૪૪ કલાક ખુલ્લું રહેશે. એટલે કે બીજા દિવસે ૯ માર્ચે આરતીના સમયે ૧૦:૩૦ વાગ્યે શયન સમયે બધં થશે. આ દરમિયાન બાબા મહાકાલની વિશેષ પૂજા પણ કરવામાં આવશે. ભગવાન મહાકાલના દર્શન કરવા રાતથી જ લાઇનો લાગવા લાગી હતી.આ લાઈન કરકરાજ મંદિરની સામેથી છે. અહીંથી મંદિર સુધી બેરીકેટસથી વાઇન્ડિંગ રસ્તો બનાવવામાં આવ્યો છે. આ માર્ગ ૧.૫ કિલોમીટરનો છે. મહાકાલ મંદિરના પ્રશાસક સંદીપ સોનીનો દાવો છે કે ભકતો ૪૦ મિનિટમાં દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. મતલબ કે કોઈ ભકત કતારમાં ઉભા રહીને દર્શન કરવા અને પછી બહાર આવવા માટે માત્ર ૪૦ મિનિટ લે છે.
એક અંદાજ મુજબ લગભગ ૧૨ લાખ ભકતો બાબાના દર્શન કરી શકશે. મહાશિવરાત્રિ નિમિત્તે સમગ્ર મંદિરને આકર્ષક ઈલેકટ્રીક શણગારથી શણગારવામાં આવ્યું છે તો ગર્ભગૃહ અને નંદી હોલને પણ વિદેશી ફલોથી શણગારવામાં આવ્યો છે. બાબા મહાકાલના દ્રાર ખુલ્યા બાદ ભસ્મ આરતી વખતે આખો નંદી હોલ ભકતોથી ભરાઈ ગયો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ રાશિના લોકોને કામકાજમાં અવરોધો થશે દૂર, નિર્ણયો લેવામાં તકેદારી જાળવવી
September 28, 2024 09:26 AMહવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીના, સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના
September 27, 2024 11:54 PMજૂનાગઢમાં ધોધમાર વરસાદથી ભવનાથમાં ઠેર-ઠેર પાણી, ભારતી આશ્રમ, ભવનાથ તળેટીમાં પૂરની સ્થિતિ
September 27, 2024 11:49 PMઉજ્જૈનમાં મહાકાલેશ્વરમાં દુર્ઘટના, મંદિરની દિવાલ ધરાશાયી, 2 ભક્તોના મોત
September 27, 2024 11:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech