આજે મહાશિવરાત્રીનો પાવન દિવસ દેશભરમાં શ્રદ્ધા અને ભકિતથી ઉજવાઇ રહ્યો છે. દેશના ૧૨ જ્યોતિર્લીંગ પૈકીના એક ઉજ્જૈન સ્થિત મહાકાલેશ્વર મંદિરના દ્રાર રાતે ૨.૩૦ કલાકથી ભકતો માટે ખુલ્લા મૂકી દેવાયા છે અને આજે ૪૪ કલાક સુધી સતત મંદિર ખુલ્લુ રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે દેશનું આ એકમાત્ર યોતિલગ છે કે યાં શિવ નવરાત્રી ઉજવાય છે.
મહાશિવરાત્રીના અવસર પર ભકતો માટે દર્શન કરવા માટે આજે મધરાતે ૨.૩૦ કલાકે મહાકાલેશ્વર મંદિરના બાબા મહાકાલના દરવાજા ખોલવામાં આવ્યા હતા. મંદિર સતત ૪૪ કલાક ખુલ્લું રહેશે. એટલે કે બીજા દિવસે ૯ માર્ચે આરતીના સમયે ૧૦:૩૦ વાગ્યે શયન સમયે બધં થશે. આ દરમિયાન બાબા મહાકાલની વિશેષ પૂજા પણ કરવામાં આવશે. ભગવાન મહાકાલના દર્શન કરવા રાતથી જ લાઇનો લાગવા લાગી હતી.આ લાઈન કરકરાજ મંદિરની સામેથી છે. અહીંથી મંદિર સુધી બેરીકેટસથી વાઇન્ડિંગ રસ્તો બનાવવામાં આવ્યો છે. આ માર્ગ ૧.૫ કિલોમીટરનો છે. મહાકાલ મંદિરના પ્રશાસક સંદીપ સોનીનો દાવો છે કે ભકતો ૪૦ મિનિટમાં દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. મતલબ કે કોઈ ભકત કતારમાં ઉભા રહીને દર્શન કરવા અને પછી બહાર આવવા માટે માત્ર ૪૦ મિનિટ લે છે.
એક અંદાજ મુજબ લગભગ ૧૨ લાખ ભકતો બાબાના દર્શન કરી શકશે. મહાશિવરાત્રિ નિમિત્તે સમગ્ર મંદિરને આકર્ષક ઈલેકટ્રીક શણગારથી શણગારવામાં આવ્યું છે તો ગર્ભગૃહ અને નંદી હોલને પણ વિદેશી ફલોથી શણગારવામાં આવ્યો છે. બાબા મહાકાલના દ્રાર ખુલ્યા બાદ ભસ્મ આરતી વખતે આખો નંદી હોલ ભકતોથી ભરાઈ ગયો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી 5 વર્ષમાં વધી કે ઘટી? રિપોર્ટમાં દર્શાવેલા આંકડા તમને ચોંકાવી દેશે
April 12, 2025 04:15 PM૪૦ લાખનું કલેઇમ કૌભાંડ: ડો.અંકિત માસ્ટરમાઈન્ડ: પાંચ પકડાયા
April 12, 2025 03:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech