કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2024-25ના બીજા છમાસિક ગાળા દરમિયાન રૂ. 6.61 લાખ કરોડની લોન એકત્ર કરશે જેથી આવક અને ખર્ચ વચ્ચેના અંતરને દૂર કરી શકાય. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે બેંકિંગ સેક્ટર રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સાથે મળીને ચાલુ નાણાકીય વર્ષના બીજા છમાસિક માટે ઋણ લેવાના કાર્યક્રમને અંતિમ સ્વરૂપ આપ્યું છે. નાણા મંત્રાલયે કહ્યું કે, નાણાકીય વર્ષ 2024-25માં સરકારે કુલ 14.01 લાખ કરોડ રૂપિયાની લોન એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે, જેમાંથી 6.61 લાખ કરોડ રૂપિયા, જે એકત્ર થનારી કુલ લોનના 47.2 ટકા છે તેને ડેટેડ સિક્યોરિટીઝ દ્વારા નાણાંકિય વર્ષના બીજા છમાસિકમાં એકત્ર કરવામાં આવશે જેમાં 20,000 કરોડ રુપિયાનું સોવરીન ગ્રીમ બોન્ડ પણ સામેલ છે.
નાણા મંત્રાલયે કહ્યું કે, 21 સાપ્તાહિક હરાજી દ્વારા 6.61 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવશે. સરકાર આરબીઆઈ સાથે મળીને 3, 5, 7, 10, 15, 30, 40 અને 50 વર્ષની સિક્યોરિટીઝ જાહેર કરીને નાણાં એકત્ર કરશે. આ પૈકી ત્રણ વર્ષની પાકતી મુદતવાળી લોનનો ભાગ સૌથી ઓછો 5.3 ટકા હશે, જ્યારે 10 વર્ષની પાકતી મુદતવાળી સિક્યોરિટીઝનો ભાગ સૌથી વધુ 24.8 ટકા હશે. મંત્રાલયે જણાવ્યું હતું કે, હરાજીની સૂચનાઓમાં દશર્વિેલ દરેક સિક્યોરિટીઝ માટે રૂ. 2,000 કરોડનું વધારાનું સબસ્ક્રિપ્શન જાળવી રાખવા માટે ગ્રીનશૂ વિકલ્પ હશે.
સરકારે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન રૂ. 14.01 લાખ કરોડની લોન એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે, જેની જાહેરાત સંપૂર્ણ બજેટ રજૂ કરતી વખતે કરવામાં આવી હતી. જ્યારે વચગાળાના બજેટમાં નાણાકીય વર્ષ દરમિયાન 14.13 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો. નાણાકીય વર્ષ 2023-24માં સરકારે 15.43 લાખ કરોડ રૂપિયાની લોન એકત્ર કરી હતી.
તેનો અર્થ એ છે કે, સરકાર ચાલુ નાણાકીય વર્ષમાં પાછલા નાણાકીય વર્ષ કરતાં 9 ટકા ઓછું કર્જ લઈ રહી છે. આનાથી રાજકોષીય ખોટ ઓછી રાખવામાં મદદ મળશે. સરકારે રાજકોષીય ખોટનો લક્ષ્યાંક 4.9 ટકા રાખ્યો છે, જે વચગાળાના બજેટના 5.1 ટકાના લક્ષ્ય કરતાં ઓછો છે. આમાં સૌથી મોટી મદદ આરબીઆઈ દ્વારા આપવામાં આવી હતી જેણે સરકારને 2.1 લાખ કરોડ રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationછત્તીસગઢમાં મોટું એન્કાઉન્ટર, અત્યાર સુધીમાં 32 નક્સલવાદીના મોત, હથિયારોનો મળી આવ્યો જથ્થો
October 04, 2024 09:28 PMકલેકટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ રોડ સેફટી કાઉન્સિલની યોજાઈ બેઠક
October 04, 2024 09:01 PMરાજ્યભરની આરટીઓમાં શનિવાર 5 ઓક્ટોબરે ટ્રેક ડ્રાઈવિંગ ટેસ્ટ નહીં લેવાય
October 04, 2024 08:59 PMPM Kisan Yojana 18th Installment: આવતીકાલે ખાતામાં પૈસા આવશે, 1.75 લાખ ખેડૂતોને 18મો હપ્તો મળશે
October 04, 2024 08:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech