કેન્દ્રએ રવિવારે મણિપુરમાં તાજેતરની હિંસાની તપાસ માટે ગૌહાટી હાઈકોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ અજય લાંબાના નેતૃત્વમાં તપાસ પંચની રચના કરી હતી. અને 6 મહિનાની અંદર કમિટીએ પોતાની પ્રથમ રિપોર્ટ સોંપવી પડશે.
કેન્દ્રએ રવિવારે મણિપુરમાં તાજેતરની હિંસાની તપાસ માટે ગૌહાટી હાઈકોર્ટના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ અજય લાંબાના નેતૃત્વમાં તપાસ પંચની રચના કરી હતી. રાજ્યમાં થયેલી હિંસામાં 80થી વધુ લોકોના મોત થયા છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, કમિશન 3 મેના રોજ અને તે પછી મણિપુરમાં વિવિધ સમુદાયોના સભ્યો સામે લક્ષિત હિંસા અને રમખાણોના કારણો અને ફેલાવાની તપાસ કરશે. આ કમિશન ઘટનાઓની સાંકળ અને આવી હિંસાને લગતા તમામ પાસાઓની તપાસ કરશે.
તે પણ જોવામાં આવશે કે શું કોઈ જવાબદાર અધિકારીઓ/લોકો તરફથી આ બાબતે ફરજમાં કોઈ ક્ષતિ કે બેદરકારી હતી કે કેમ? આ તપાસ હિંસા અને રમખાણોને રોકવા અને તેનો સામનો કરવા માટે લેવામાં આવેલા વહીવટી પગલાંની પણ તપાસ કરશે. નોટિફિકેશન મુજબ, આયોગ તેની સમક્ષ કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થા દ્વારા આપવામાં આવેલી ફરિયાદો પર પણ ધ્યાન આપશે. આયોગ શક્ય તેટલી વહેલી તકે કેન્દ્ર સરકારને તેનો અહેવાલ સુપરત કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાના સાંસદ દ્વારા મેગા સર્વરોગ નિદાન અને રક્તદાન કેમ્પ
September 20, 2024 11:24 AMડીફોલ્ટર સભાસદને ૧ માસની જેલ-દંડ
September 20, 2024 11:21 AMગોકુલનગરમાં સિક્યુરિટી ગાર્ડના બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો
September 20, 2024 11:19 AMસૌથી ખરાબ સેવાઓ...ભારતીય-અમેરિકન CEOએ એર ઈન્ડિયા પર લગાવ્યો આરોપ, જુઓ વીડિયો
September 20, 2024 11:17 AMપરિવારો પર 11,000 કરોડનો બોજ નાખે છે ફૂડ ડિલિવરી કંપનીઓ
September 20, 2024 11:16 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech