કૃષ્ણનગરથી મહુવા જતી બસ પ્રવાસીઓ સહીત પોલીસ મથક પહોંચી

  • March 19, 2024 07:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગરના તળાજા પોલીસ મથક ખાતે એસટીના કર્મચારીએ શખ્સ સામે અરજી કરી હતી. જેમાં કૃષ્ણનગર થી મહુવા જતી એસટી બસમાં એક શખ્સ પીધેલી હાલતે એસટીના કર્મચારીને દારૂના નશામાં ગાળો આપતા બસ પોલીસ મથક પહોંચી હતી. અને તળાજા પોલીસમાં શખ્સ સામે અરજી આપવામાં આવી હતી.

આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ગત મોડી સાંજે કૃષ્ણનગર થી ભાવનગર તળાજા થઈને મહુવા જતી એસટી બસમાં બેઠેલ એક મુસાફર શખ્સએ નશાની હાલતે માથાકૂટ કરી હતી. બસમાં દારૂના નશામાં બેસેલા પેસેન્જરએ અન્ય મુસાફરો અને એસટીના કર્મચારી સાથે ગેરવર્તન કરી અને બીભત્સ ગાળો આપી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. શખ્સ દ્વારા નશાની હાલતે બબાલ કરતા એસટી બસ સીધી પોલીસ મથક ખાતે પહોંચી હતી. સમગ્ર મામલો તળાજા પોલીસ મથક ખાતે પહોંચ્યો હતો. અને નશાખોર શખ્સ વિરુદ્ધ પોલીસમાં અરજી આપી હતી. અને ત્યારબાદ પોલીસે અરજીના આધારે ગંભીરતાથી નોંધ લઈ અને તાત્કાલિકના ધોરણે શખ્સની અટકાયત કરી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application