ત્રણ દિવસ પહેલા ઘરેથી નીકળેલા આધેડનો મૃતદેહ તેના જ કુવામાંથી મળી આવતા પોલીસ દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બનાવની પ્રા વિગત મુજબ કુવાડવા ગામે રહેતા રાણાભાઈ રત્નાભાઈ બહત્પકિયા (ઉ.વ.૪૫)ના આધેડનો મૃતદેહ આજે સવારે તેની જ વાડીના કુવામાંથી મળી આવતા પરિવારજનોએ કુવાડવા પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને ફાયરની મદદથી મૃતદેહને બહાર કાઢી પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી જરી કાર્યવાહી કરી હતી. મૃતક એક ભાઈ એક બહેનમાં મોટા હતા અને સંતાનમાં એક દીકરો અને દીકરી છે.
પરિવારજનોના કહેવા મુજબ આધેડ ગત.૨૨ના ઘરેથી નીકળી ગયા બાદ લાપતા બનતા પોલીસમાં પણ જાણ કરી હતી. સવારે વાડીના કુવામાં જોતા મૃતદેહ જોવા મળ્યો હતો. તેમને કેટલાક સમયથી માનસિક તકલીફ હતી અને તેની દવા પણ ચાલુ છે. આધેડે જાતે કુવામાં ઝંપલાવી આપઘાત કર્યેા છે કે અકસ્માતે પડી જતા મોત થયું છે એ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech