લાખાબાવળ ગામની સીમમાં કેનાલમાંથી અજ્ઞાત પુરુષનો મૃતદેહ સાંપડ્યો

  • May 24, 2024 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નજીક લાખાબાવળ અને સરમત ગામની વચ્ચે આવેલી પાણીની કેનાલ ના જોઈન્ટ ની કુંડીમાંથી ૩૦ થી ૪૦ વર્ષની વયના એક અજ્ઞાત પુરુષનો મળી આવ્યો છે. પોલીસે તેની ઓળખ કરવા કાર્યવાહી હાથ ધરી છે.

જામનગરના પંચકોસી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફને ટેલીફોનિક બાતમી મળી હતી, કે લાખાબાવળ ગામની કેનાલની પાણીની કુંડીમાં એક માનવ મૃતદેહ પડ્યો છે, જે બાતમીના આધારે પોલીસ કોન્સ્ટેબલ બાબુભાઈ ગાગીયા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને ૩૦ થી ૪૦ વર્ષની વયના અજ્ઞાત પુરુષનો કોહવાઈ ગયેલો મૃતદેહ કબજે લઈ જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો, તેમ જ મૃતકની ઓળખ કરવા માટે મૃતદેહ ને જામનગરની જી.જી. હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application