બોલિવૂડ એકટર સૈફ અલી ખાન પર થયેલા હુંમલાની મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે. આયા બાદ હવે કરીના કપૂરનું નિવેદન નોંધવામાં આવ્યું છે. આ દરમિયાન કરીના કપૂરે ઘણા ખુલાસા કર્યા છે. કરીનાએ બાંદ્રા પોલીસને જણાવ્યું કે, સૈફે એકલાએ જ હત્પમલાખોરનો સામનો કર્યેા હતો. તેણે ઘરની બધી મહિલાઓને બિલ્ડિંગના ૧૨મા માળે મોકલી દીધી હતી. જો સૈફ વચ્ચે ન પડો હોત તો કઈં પણ થઈ શકયું હોત.
કરીનાએ પોલીસને જણાવ્યું કે, યારે હત્પમલો થયો ત્યારે સૈફે બાળકો અને મહિલાઓને ૧૨મા માળે મોકલી દીધા હતા. સૈફે મહિલાઓ અને બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યેા. સૈફ વચ્ચે આવ્યો તો હત્પમલાખોર જહાંગીર સુધી પહોંચી ન શકયો. હત્પમલાખોરે ઘરમાંથી કઈં વસ્તુની ચોરી નથી કરી, પરંતુ તે ખૂબ જ આક્રમક હતો. તેણે સૈફ પર ઘણી વાર હત્પમલો કર્યેા, હત્પમલા પછી હત્પં ડરી ગઈ હતી તેથી કરિશ્મા મને તેના ઘરે લઈ ગઈ હતી.
આ પહેલા સૈફ–કરીનાના બાળકો તૈમૂર–જેહની આયાએ પોતાનું નિવેદન આપ્યું હતું. આયાએ જણાવ્યું કે, હું છેલ્લા ૪ વર્ષથી તેમના ઘરમાં કામ કરી રહી છું. ૧૫ જાન્યુઆરીની રાત્રે ૨:૦૦ વાગ્યે હત્પં એક વિચિત્ર અવાજ સાંભળીને જાગી ગઈ, બાથમની લાઈટ ચાલુ હતી. જયારે હું જોવા ગઈ ત્યારે એક વ્યકિત બહાર આવ્યો, તે જેહ પાસે જઈ રહ્યો હતો. આ જોઈને હત્પં ઝડપથી તેની પાસે ગઈ તો તેણે આંગળીથી ઈશારો કરીને મને અવાજ ન કરવા કહ્યું. યારે મેં તેને રોકવાનો પ્રયાસ કર્યેા તો તેણે મારા પર હત્પમલો કરી દીધો. તેણે એક કરોડ પિયાની માંગણી કરી. અવાજ સાંભળીને સૈફ અને કરીના દોડી આવ્યા પરંતુ આરોપીઓએ સૈફ પર પણ હત્પમલો કરી દીધો. આ ઘટનામાં સૈફને ઘણી જગ્યાએ ઈજા પહોંચી હતી.
ઉલ્લેખનીય છે કે ગુવારે રાત્રે બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હત્પમલાખોરે છરીથી હત્પમલો કર્યેા હતો અને તેમને ગંભીર ઈજા થઈ હતી. સૈફ અલી ખાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, યાં તેમની સફળ સર્જરી કરવામાં આવી હતી. ડોકટરોએ લગભગ ૬ કલાકની સર્જરી કરી અને છરીનો ૨.૫ ટુકડો કાઢી નાખ્યો હતો. ડોકટરોનું કહેવું છે કે જો ઘા ૨ મીમી ઐંડો હોત તો સૈફ અલી ખાનને લકવો થઈ શકયો હોત.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech