પ્ર.નગર પોલીસ મથકના સ્ટાફે શહેરના આર વલ્ર્ડ સિનેમા પાસે ગવર્મેન્ટ કવાર્ટરમાં દાની મહેફિલ માણી રહેલા કથીત પત્રકાર સહિત છ શખસોને પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે દરોડા દરમિયાન અહીંથી દાની બોટલ, ખાલી ગ્લાસ,બાઈટીંગ અને પાંચ મોબાઇલ સહિત ૩.૨૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ,પ્ર.નગર પોલીસ મથકના પીઆઈ બી.એમ.ઝણકાટના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ આઈ.એ.બેલીમ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન કોન્સ્ટેબલ તોફિકભાઈ મંઘરા, જયેન્દ્રસિંહ પરમારને મળેલી બાતમીના આધારે આર વલ્ર્ડ સિનેમાની પાછળ ગવર્મેન્ટ કવાર્ટરમાં હનુમાનજી મંદિરની પાછળ છ શખસોને જાહેરમાં દાની મહેફિલ મણતા ઝડપી લીધા હતા. ઝડપાયેલા શખસોમાં ગોપાલ ક્રિષ્નન યાદવ (ઉ.વ ૩૮ રહે. પુનિતનગર ૪,રાજકોટ), અનિલ પેસ્વામી સોલયન્ટ(ઉ.વ ૩૨ રહે. આર વલ્ર્ડ સિનેમા પાછળ સરકારી કવાર્ટર), કમલેશ ગાંડુભાઈ પરમાર (ઉ.વ. ૩૮ રહે. સંતોષીનગર મફતિયા પરા), યોગેન્દ્રસિંહ વિક્રમસિંહ ગોહિલ (ઉ.વ ૩૨ રહે. જામનગર રોડ ગવર્મેન્ટ પ્રેસ કોલોની બ્લોક નંબર ૫), વિશાલ સંદીપભાઈ ચૌહાણ (ઉ.વ ૩૬ રહે. આર વલ્ર્ડ સિનેમાની પાછળ કવાર્ટર) માં અને ગોપાલસિંહ હરપાલ ઉદયસિંહ રાણા (ઉ.વ ૨૭ રહે. શિવાલય ચોક શિવાલય લેટ ૪૦૨) હોવાનું માલુમ પડું હતું.પોલીસે દરોડા દરમિયાન દાની અડધી બોટલ, પ્લાસ્ટિકના પાંચ ગ્લાસ બાઈટીંગનો સામાન અને પાંચ મોબાઇલ તેમજ રાજકોટ હેડલાઈન ન્યુઝ પેપરનું પ્રેસ કાર્ડ તથા કાર સહિત કુલ પિયા ૩.૨૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
દરોડા દરમિયાન મળી આવેલું પ્રેસકાંડ ગોપાલ ક્રિષ્નન યાદવનું હોવાનું તેણે જણાવ્યું હતું.તે ખરેખર પત્રકારિતાના વ્યવસાય સાથે સંકળાયેલ છે કે કેમ? તેની ખરાઈ કરવા પોલીસે તપાસ શ કરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરખડતા કૂતરાઓનો આતંક: ૩ વર્ષમાં દેશભરના 94 લાખ લોકો શિકાર બન્યા
April 19, 2025 11:42 AMજામનગર : ભાજપ શહેર પ્રમુખ બીનાબેન કોઠારીનો આજે જન્મ દિવસ
April 19, 2025 11:42 AMમાર્જિનને પ્રોટેકટ કરવા ભારતની મોટી બેંકોએ સેવિંગ એકાઉન્ટ પર વ્યાજ દર ઘટાડી નાખ્યા
April 19, 2025 11:38 AMકંપની અમારી સાથે ભેદભાવ કરે છેઃ યુએસમાં ટીસીએસના અમેરિકન કર્મીઓનો આક્ષેપ
April 19, 2025 11:36 AMરેલવે ઉતારૂ-ગ્રાહકોની ફરિયાદોના નિરાકરણમાં રાજકોટ પ્રથમ નંબરે
April 19, 2025 11:35 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech