વરતેજ પોલીસ મથકમાં નોંધાયેલા કાયદેસરના વાલીપણાંમાંથી લગ્નના ઇરાદે અપહરણના ગુન્હામાં આરોપીને ગણતરીના કલાકોમાં એલસીબીએ ભોગ બનનાર સાથે ઝડપી લોધો હતો.
ભાવનગર એલ.સી.બી. સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે વરતેજ પોલીસ મથકમાં નોંધાયેલા કાયદેસરના વાલીપણાંમાંથી લગ્નના ઇરાદે અપહરણના ગુન્હાના આરોપી રવી ઉર્ફે શેરો નટુભાઇ બારૈયા રહે.કરચલીયા પરા, ભાવનગર તેના રહેણાંક મકાન પાસે ભોગ બનનાર સહિત હાજર છે. જે બાતમી આધારે સ્ટાફના માણસોએ બાતમીવાળી જગ્યાએ આવતાં આરોપી તથા ભોગ બનનાર હાજર મળી આવેલ. જેથી તેના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી વરતેજ પોલીસ મથકમાં નોંધાયેલા ગુન્હાની તપાસ ભાવનગર સી.પી.આઇ. ચલાવતાં હોય. જેથી આરોપીને ગણતરીના કલાકોમાં જ રવી ઉર્ફે શેરો નટુભાઇ બારૈયા (ઉ.વ.૩૩ રહે.કરચલીયા પરા, ભાવનગર)ને ઝડપી લીધો હતો.
ઝડપાયેલા આરોપી સામે વરતેજ પોલીસ મથકના એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૮૦૬૭૨૪૦૭૨૭ ઇ.ગ.જ. એકટની કલમ:-૧૩૭ (૨), ૮૭ મુજબનો ગુન્હો નોંધાયો હતો.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના વનરાજભાઇ ખુમાણ, બાવકુદાન કુંચાલા, જયદિપસિંહ ગોહિલ અને જાગૃતિબેન કુંચાલા સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનર્સિંગ પરિક્ષાના મુદ્દે હાઇકોર્ટેની સરકારને રાહત, ભરતી પ્રક્રિયા રોકવાની માંગ ફગાવી
April 25, 2025 02:42 PMન્યૂયોર્ક ટાઈમ્સે હુમલાને આતંકવાદીના બદલે ઉગ્રવાદ ગણાવતા યુએસ સરકારે ઠપકો આપ્યો
April 25, 2025 02:34 PMબાંદીપોરામાં એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર, બે થયા સૈનિકો ઘાયલ
April 25, 2025 02:27 PM3.5 કરોડના જીએસટી ક્રેડિટ કૌભાંડના વધુ બે આરોપીના જામીન સેશન્સ દ્વારા મંજુર
April 25, 2025 02:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech