છાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને તેમના પુત્ર સહિત આરોપીઓનો થયો નિર્દોષ છૂટકારો

  • September 19, 2024 03:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં મારામારીના ગુન્હામાં છાયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને  તેમના પુત્ર સહિત આરોપીઓનો નિર્દોષ છૂટકારો થયો છે.
અત્રે પ્રાપ્ત વિગત મુજબ સને-૨૦૧૮માં આરોપી વિ‚ધ્ધ પેશકદમીની અરજી કલેકટરમાં કરેલી જેનું મનદુ:ખ રાખી તા. ૨૧-૫-૨૦૧૮ના અરસામાં ફરીયાદીને ફોન ઉપર ગાળો કાઢી આરોપીઓએ ગેરકાયદેસર  મંડળી રચી ધારિયુ, ધોકા, લાકડી જેવા ભયંકર હથિયાર ધારણ કરી ફરિયાદી તથા સાહેદને ઢીકાપાટુ તથા લાકડી વડે માર મારી મુઢ ઇજા કરેલ જે મુજબની ફરીયાદ કમલાબાગ પોલીસસ્ટેશનમાં જાહેર થતા કમલાબાગ પોલીસે આઇ.પી.સી.ની કલમ મુજબ તથા જી.પી.એકટની કલમ મુજબ ગુન્હો નોંધી ગુન્હાના  આરોપીઓ ભોજાભાઇ કાનાભાઇ ખુંટી કે  જેઓ છાયા નગરપાલિકાના પ્રમુખ તરીકે રહી ચૂકયા છે તે ઉપરાંત  લાખાભાઇ ભોજાભાઇ ખુંટી કે જેઓ હાલ પોરબંદર નગરપાલિકાની સેનીટેશન કમીટીના ચેરમેન છે તે ઉપરાંત હરીશ  ઉર્ફે તોતડો કેશુભાઇ બોખીરીયા, રણજીતભાઇ અરભમભાઇ કુછડીયા, અહમદ રજાકભાઇ શેરવાની, અતુલ હાથીયાભાઇ ખુંટીને અટક કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા આરોપીઓને જામીન મુકત કરવામાં આવેલા હતા.
ત્યારબાદ પોલીસે આરોપીઓ વિ‚ધ્ધ ગંભીર ગુન્હાનું ચાર્જશીટ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીઓને સમન્સ કરી હાજર થવાનો હુકમ કરતા આરોપીઓ કોર્ટમાં તેઓના વકીલ સાથે હાજર થયેલા અને આરોપીઓ દ્વારા ગુન્હો કર્યાનો ઇન્કાર કરતા કેસની ટ્રાયલ ચલાવવામાં આવેલી, જેમાં આરોપીઓ તરફે પોરબંદરના  વકીલ જે.પી.ગોહેલની ઓફિસ વતી વકીલો રોકાયેલા અને ફરીયાદપક્ષે સરકારી વકીલ રોકાયેલા હતા ફરીાયદપક્ષે સતરથી વધારે સાક્ષીઓ તથા દસ્તાવેજી પુરાવાઓ આરોપીઓની વિ‚ધ્ધમાં રજુ કરવામાં આવેલા અને આરોપીપક્ષના વકીલે સાક્ષીઓ તથા રજુ થયેલા દસ્તાવેજી પુરાવાઓનું કાયદા મુજબ ખંડન કરવામાં આવેલુ અને બન્ને પક્ષે વકીલો દ્વારા પોતપોતાનો કેસ માનવા માટે દલીલો પણ કરવામાં આવેલી.
આમ, આરોપીપક્ષે દલીલો કરી જણાવવામાં આવેલ કે અમારા અસીલ નિર્દોષ છે, કોઇ જ ગુન્હો કરેલ નથી. ફરીયાદીએ પોતાની ફરિયાદને સમર્થન આપેલ નથી, ઉપરાંત દલીલો કરી જણાવેલ કે ફરીયાદની વિગતના આક્ષેપો ફરીયાદી રેકર્ડ ઉપર લાવેલ નથી. આમ ફરીયાદપક્ષ દ્વારા ગુન્હો સાબિત કરવામાં ફરીયાદી નિષ્ફળ નિવડેલ હોય આરોપીઓને છોડી મુકવાનો હુકમ કરવા અરજ કરવામાં આવેલી.ત્યારબાદ કોર્ટે આરોપીઓ ભોજાભાઇ કાનાભાઇ ખુંટી, લાખાભાઇ ભોજાભાઇ ખુંટી, હરીશ ઉર્ફે તોતડો કેશુભાઇ બોખીરીયા, રણજીતભાઇ અરભમભાઇ કુછડીયા, અહમદ રજાકભાઇ શેરવાની, અતુલ હાથયાભાઇ ખુંટીને આઇ.પી.સી. કલમ તથા જી.પી.એકટની કલમ -૧૩૫ના સજાને પાત્ર ગુન્હામાંથી શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ ખુલ્લી અદાલતમાં જાહેર કરેલો હતો.આ કામમાં આરોપીપક્ષે પોરબંદરના વકીલ જે.પી.ગોહેલની ઓફિસ તરફથી એમ.જી. શીંગરખીયા, એન.જી.જોષી, એમ.ડી.જુંગી. વી.જી. પરમાર, રાહુલ એમ. શીંગરખીયા, જિજ્ઞેશ ચાવડા, મયુર સવનીયા તથા પંકજ બી. પરમાર રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application