લઘુ રૂદ્રાભિષેક અને હોમાત્મક લઘુ‚દ્ર યજ્ઞ સાથે શ્રાવણ માસનું થયું સમાપન

  • September 04, 2024 01:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના સાંદિપની શ્રીહરિ મંદિર ખાતે શ્રાવણ માસની અમાસ નિમિત્તે લઘુ‚દ્રા અભિષેક અને હોમાત્મક લઘુ‚દ્ર યજ્ઞ યોજાયો હતો. સાંદીપનિ વિદ્યાનિકેતનમાં શ્રીહરિ મંદિરમાં શ્રાવણમાસની સોમવતી અમાસે ઋષિકુમારો દ્વારા વિધિવત ચંદ્રમૌલીશ્ર્વરને લઘુ‚દ્રાભિષેક કરવામાં આવ્યો હતો.



અત્રે ઉલ્લેખનીય છે કે,સંપુર્ણ શ્રાવણ માસમાં ચંદ્રમૌલીશ્ર્વર મહાદેવની ગુરૂજનો તથા ઋષિકુમારો દ્વારા નિયમિત અભિષેક પુજા કરવામાં આવેલ હતી.જેમા પ્રતિદિન ઘણા મનોરથીઓએ અભિષેક-પુજાનો લાભ લીધેલ હતો.આ સાથે સમગ્ર શ્રાવણમાસમાં પ્રતિદિન શિવાલયમાં ચંદ્રમૌલીશ્ર્વર મહાદેવના વિવિધ શૃંગાર દર્શન યોજાયા હતા.જેના દર્શનનો પોરબંદરના શહેરીજનોએ તથા સોશ્યલ મિડિયાના માધ્યમથી અનેક ભાવિકોએ લાભ લીધો હતો.


 ઋષિકુળના નવા છાત્રાવાસમાં હોમાત્મક લઘુ‚દ્ર યોજાયોઆ સાથે સાંદીપનિ વિદ્યાનિકેતન પરિસરમાં નવનિર્મિત ઋષિકુલના છાત્રાવાસમાં પુ.ભાઈશ્રીની પ્રેરણાથી સંસ્થાના ઉત્કર્ષ હેતુ તેમજ સમસ્ત વિશ્ર્વના કલ્યાણ હેતુ ઋષિકુમારો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર હોમાત્મક લઘુ‚દ્ર યજ્ઞ સંપન્ન થયો છે.હોમાત્મક લઘુ‚દ્રયજ્ઞની પુર્ણાહુતિ સમયે સંસ્કૃત પાઠશાળાના સૌ ગુ‚જનો, સાંદીપનિ સંકુલના વિવિધ વિભાગોમાં સેવા આપતા ભુતપુર્વ છાત્રો તથા સૌ ઋષિકુમારો ઉપસ્થિત રહ્યા હતા.બાબડા શિવાલયમાં રૂદ્રાભિષેકસાંદીપનિ વિદ્યાનિકેતન સંસ્થાનો જ્યાંથી પ્રારંભ થયો છે એવા બાબડા ગામે પણ વર્ષોની પરંપરા અનુસાર શ્રાવણ માસની સોમવતી અમાસે બાબડેશ્ર્વર મહાદેવને ઋષિકુમારો દ્વારા વિધિવત લઘુ‚દ્રાભિષેક કરવામાં આવ્યો હતો.



શ્રાવણમાસની સોમવતી અમાસે ચંદ્રમૌલીશ્ર્વર મહાદેવના દીપદાન દર્શનશ્રીહરિ મંદિરમાં શ્રાવણ માસની સોમવતી અમાસે ચંદ્રમૌલીશ્ર્વર મહાદેવના દીપદાનના શૃંગાર દર્શન યોજાયા હતા.અમાસના દિવસે દીપદાનનું ખુબ મહત્વ હોય છે.આ દીપદાન શૃંગાર દર્શનનો અનેક દર્શનાર્થીઓએ લાભ લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application