@જામનગર અને દેવભૂમિ દ્વારકા રાજપૂત સેવા સમાજ દ્વારા સૌપ્રથમવાર રાજપૂત સમાજનું વાત્સલ્ય જમણવાર હાલારનો નવો રાજપૂત સમાજનો ઈતિહાસ કંડારવા જઈ રહયું છે. રાષ્ટ્રવીર ક્ષત્રિયકુળના શિરોમણિ અને વીર યોદ્ધા શ્રી મહારાણા પ્રતાપની જન્મજયંતીની વિશિષ્ટ ઉજવણી પ્રસંગે સૌરાષ્ટ્ર રાજપૂત સમાજની તન - મન - ધનથી ઉમદી સેવા કરતા રાજપૂત સમાજના ગૌરવરૂપ વ્યકિત વિશેષ ધર્મેન્દ્રસિંહ જાડેજા ((હકુભા), પૂર્વ રાજયમંત્રી, ગુજરાત રાજય) હાલારના પ્રથમ રાજપૂત મહિલા ધારાસભ્ય અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના ધર્મપતી રીવાબા જાડેજાનું રક્તતતુલા દ્વારા બન્ને મહાનુભાવોનુ સન્માન સમારંભ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલના અધ્યક્ષસ્થાને યોજાનાર હોઈ જેને લઈને રાજપૂત સમાજમાં અનેરા ઉત્સાહનું મોજું અને યુવાધનમાં આ ઉત્સવને લઈને તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
જામનગરમાં રાજપૂત સમાજ દ્વારા આગામી સોમવારે મોટાપાયે સામાજિક-સાંસ્કૃતિક કાર્યક્રમ થવા જઇ રહ્યો છે. આ આયોજનના ભાગરૂપે મુખ્ય અને મહત્વનો કાર્યક્રમ છે. સન્માન અને રકતતુલાનો જામનગર ઉત્તર (78) બેઠકના ધારાસભ્ય તરીકે 2012થી 2022 સુધી (10 વર્ષ) સેવા આપનાર ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા) અને તાજતેરની ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે વિજેતા થનાર રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાને સન્માનવા તેઓની રકતતુલા કરવામાં આવશે.
આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે સી.આર. પાટિલ (પ્રદેશ પ્રમુખ, ગુજરાત ભાજપ તથા સાંસદ, નવસારી), રત્નાકરજી સાહેબ (પ્રદેશ સંગઠન મહામંત્રી - ગુજરાત ભાજપ), હર્ષભાઈ સંઘવી (ગૃહ રાજ્યમંત્રી - ગુજરાત), આર.સી. કળદુ (પૂર્વ મંત્રી ગુજરાત રાજ્ય તથા પૂર્વ પ્રદેશ પ્રમુખ - ગુજરાત ભાજપ), ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા પૂર્વમંત્રી - ગુજરાત રાજ્ય તથા વરિષ્ઠ આગેવાન, ગુજરાત રાજપૂત સમાજ), પ્રદીપસિંહજી વાઘેલા (પ્રદેશ મહામંત્રી - ગુજરાત ભાજપ), નરેશભાઈ પટેલ (પ્રમુખ ખોડલધામ સમિતિ - કાગવડ), ડો. ભરતભાઈ બોઘરા (પ્રદેશ ઉપપ્રમુખ - ગુજરાત ભાજપ), રઘુભાઇ હુંબલ (પ્રદેશ મંત્રી - ગુજરાત ભાજપ), ડો. જયેન્દ્રસિંહજી જાડેજા (મેનેજીંગ ડિરેક્ટર - અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ ગુજરાત પ્રદેશ), રાજભા ચુડાસમા (મામા સરકાર - માંગરોળ), ડો. યોગરાજસિંહજી જાડેજા (જાબીડા) (પ્રમુખ - શ્રી મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન (MPPS) - રાજકોટ) હાજરી આપશે.
મહારકાદાન શિબિરનો કાર્યક્રમ પટેલ કોલોની શેરી નં.12, (ગાંધીનગર રોડ)માં આવેલ ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી (વિકર્મા બાગ) ખાતે તા.22 મે સોમવારના રોજ યોજાયેલ છે. બંને મહાનુભાવોની રકતતુલા કર્યા બાદ આ રકતનું દાન જી.જી.હોસ્પિટલ સંલગ્ન બ્લડબેંકને ક૨વામાં આવનાર છે. આ પ્રસંગે આશરે 15 હજાર વધુ લોકોનો ભોજન સમારોહ પણ યોજાશે. આ ઉપરાંત રાત્રે પદમ બેન્કવેટ હોલ-પાર્ટીપ્લોટ ખાતે લોકડાયરો યોજાનાર છે જેમાં કિર્તીદાન ગઢવી, કિંજલ દવે અને માયાભાઇ આહીર તેના સુમધુર સ્વર રેલાવી શ્રોતાઓને ડોલાવશે.
આ સાથે સાથે કાર્યક્રમની રૂપરેખા જોઈએ તો બ્લડ ડોનેશન કેમ્પ ગુર્જર સુતારજ્ઞાતિની વાડી, ગાંધીનગર મેઈન રોડ, બપોરના ૨ થી સાંજે ૭ દરમ્યાન તથા શોભાયાત્રા સાંજે ૬ કલાકે ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી, ગાંધીનગરથી પ્રસ્થાન કરશે, આ શોભાયાત્રામાં અનેક રાજપૂત સમાજના આગેવાનો સહિતના લોકો જોડાશે ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવશે. આ શોભાયાત્રા શ્રી મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ રાત્રે ક્રિકેટ બંગલો પાસે કરશે, રાજપૂત વાત્સલ્ય ભોજનના દાતા તરીકે પૂર્વ રાજયમંત્રી અને ચેરમેન-શ્રી ભાગ્યલક્ષ્મી એજયુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા જોડાયેલ છે. અને રાત્રે ૦૯-૦૦ કલાકે ભવ્ય લોકડાયરો તેમજ રાત્રિના ૧૦ કલાકે રક્તતુલાનો કાર્યક્રમ અને સન્માન સમારંભનું આયોજન ક૨વામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech