સીરિયામાં ચાલી રહેલી હિંસાને ધ્યાનમાં રાખીને વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને આગામી આદેશ સુધી સીરિયાની મુસાફરી ટાળવાની સલાહ આપી છે.
શુક્રવારે એક ટ્રાવેલ એડવાઈઝરી જારી કરીને વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે સીરિયાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આગળની સૂચના ન મળે ત્યાં સુધી સીરિયાની મુસાફરી ટાળવા જણાવવામાં આવ્યું છે.
મંત્રાલયે સીરિયામાં હાજર ભારતીયોને ઈમરજન્સી હેલ્પલાઈન નંબર અને સત્તાવાર ઈમેલ આઈડી દ્વારા દમાસ્કસમાં ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં રહેવાની સલાહ આપી છે. મંત્રાલયે કહ્યું કે જેઓ પાછા આવી શકે છે તેઓને શક્ય તેટલી વહેલી તકે વ્યાપારી ફ્લાઇટ્સ દ્વારા જવાની સલાહ આપવામાં આવે છે અને અન્ય લોકોને તેમની સલામતી વિશે ખૂબ કાળજી લેવાની અને તેમની હિલચાલને મર્યાદિત કરવાની સલાહ આપવામાં આવે છે.
હેલ્પલાઇન નંબર કર્યો જાહેર
વિદેશ મંત્રાલયે ફંસાયેલા ભારતીયો માટે એક હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે, જેનો તેઓ આપત્તિની સ્થિતિમાં સંપર્ક કરી શકે છે. આ હેલ્પલાઇન સેવા 24/7 ઉપલબ્ધ રહેશે અને ભારતીય નાગરિકોને સિરિયામાં સુરક્ષા, વિઝા અથવા અન્ય યાત્રા સંબંધિત મુદ્દાઓ પર મદદ કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅરમાન મલિકને જોઈએ છે હથિયારનું લાઇસન્સ, કહ્યું- મને ધમકીઓ મળી રહી છે, મારા જીવને જોખમ છે
May 15, 2025 12:40 PMજામનગર: બોર્ડનું પરિણામ વઘ્યું, એન્જીનીયરીંગમાં ૨થી૫ ટકા મેરીટ ઉંચુ રહેશે
May 15, 2025 12:36 PMકર્નલ સોફિયા કુરેશી પર વિવાદાસ્પદ નિવેદન બદલ મંત્રી વિજય શાહ વિરુદ્ધ FIR
May 15, 2025 12:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech