સંભવિત ભારે વરસાદની આગાહીના પગલે પ્રભારી મંત્રીએ સિહોરના ભાણગઢ ગામની મુલાકાત લીધી

  • August 31, 2024 04:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સંભવિત ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા તેમજ મહિલા અને બાળ કલ્યાણ મંત્રી તેમજ ભાવનગર જિલ્લા પ્રભારી મંત્રી ભાનુબેન બાબરીયા એ સિહોર તાલુકાના ભાણગઢ ગામની મુલાકાત લીધી હતી. જિલ્લાના પ્રભારી મંત્રીએ ગામની મુલાકાત લઇ ચોમાસા બાદ ગામ સુધીનો રસ્તો બનવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત પાળીયાદ પાસે પુલ બની જવાથી ચોમાસા દરમ્યાન પાણી ભરવાનો પ્રશ્ન ઉકેલાઈ જશે એવું જણાવ્યું હતું. આ તકે જિલ્લા કલેકટર આર. કે. મહેતા એ સિહોર તાલુકાના ભાણગઢ ગામની ચોમાસા દરમ્યાન થતી મુશ્કેલી અંગે માહિતી આપી હતી.ભાણગઢ ગામની મુલાકાત પહેલા મંત્રીએ સિહોર મામલતદાર કચેરી ખાતે તાલુકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ તકે જિલ્લા વિકાસ અધિકારી જી.એચ સોલંકી,  પોલીસ અધિક્ષક  ડો. હર્ષદ પટેલ, આઇ.એ.એસ. અધિકારી  આયુષી જૈન, પ્રાંત અધિકારી દિલીપસિંહ વાળા, મામલતદાર, આગેવાન ભરતભાઈ મેર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application