કર્ણાટક સરકારે ડેન્ગ્યુને મહામારી જાહેર કરી, આ વર્ષે નોંધાયા 7000 થી વધુ કેસ

  • September 03, 2024 04:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)





કર્ણાટક સરકારે મંગળવારે રાજ્યમાં ડેન્ગ્યુ તાવને મહામારી જાહેર કરી છે. જેમાં તેના તમામ સ્વરૂપોનો સમાવેશ થાય છે. વધુમાં, કર્ણાટક એપિડેમિક ડિસીઝ રેગ્યુલેશન્સ 2020 માં સુધારો કરવા માટે નિયમો બનાવવામાં આવ્યા છે.




રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા મુજબ આ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં ડેન્ગ્યુના 7362 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુનો સામનો કરવા માટેના એક્શન પ્લાનની જાહેરાત કરતા મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે, આ વર્ષે અત્યાર સુધીમાં 7,362 ડેન્ગ્યુના કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં સાત લોકોના મોત થયા છે. ડેન્ગ્યુના દર્દીઓને દાખલ કરવા માટે હોસ્પિટલના દરેક વોર્ડમાં દસ બેડ રાખવા જણાવાયું છે. ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને મચ્છરદાની આપવામાં આવશે.




કર્ણાટકના આરોગ્ય પ્રધાન દિનેશ ગુંડુ રાવે કહ્યું કે સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને તમામ વિભાગોને સૂચનાઓ આપવામાં આવી છે. તેમણે કહ્યું કે અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. અમે તમામ વિભાગોને ડેન્ગ્યુના સ્ત્રોત ઘટાડવા કડક સૂચના આપી છે. અમે આશા વર્કર અને સ્વયંસેવકોને ઘરે-ઘરે જવા કહ્યું છે. સરકાર સંપૂર્ણ સમય કામ કરી રહી છે. અમારો ઉદ્દેશ્ય મચ્છરોના ફેલાવાને રોકવા અને તેના કારણે થતા મૃત્યુને રોકવાનો છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application