ઉમરેઠી ગામ પાસે આવેલ હિરણ-૨ ડેમનાં દરવાજા બદલવાનું કામ યાંત્રિક વિભાગ દ્વારા હાથ ધરવામા આવેલ છે. તારીખ ૦૬/૦૪/૨૦૨૪ રોજ જળાશયનું આર.એલ ૬૪.૯૪ મીટર, ઉંડાઈ ૨.૫૨ મીટર તથા જીવંત જથ્થો ૪.૨૬૫ એમ.સી.યુ.એમ. છે.
ઉપરોક્ત જણાવેલ કામગીરી સબબ ડેમનાં દરવાજા ખોલવાની પરિસ્થિતિ ઉપસ્થિત થયેલ છે.
સરકારના -૨ યોજના/૨૬૦૫થી અનુમતી આપવામાં આવેલ છે, જે અન્વયે તારીખ ૦૭/૦૪/૨૦૨૪ના રોજ ૧૮:૦૦ કલાકે ડેમનાં ૦૨ દરવાજા ૦.૩૦ મીટર ખોલવામાં આવશે. જેનો પ્રતિ સેકન્ડ પ્રવાહ ૧૩૭૬.૬૪ ક્યુસેક હશે.
જેથી હિરણ-૨ જળાશયનાં હેઠવાસમાં આવતા ગામોનાં લોકોને નદીનાં પટમાં અવર-જવર ન કરવા તેમજ ઢોર-ઢાંખર ન લઈ જવા (હાઈ એલર્ટ) સંપુર્ણ સતર્ક રહેવા સુચના અપાઈ જવા વિનંતી છે.
હિરણ-૨ જળાશય હેઠળનાં ગામોનાં નામ
તાલાળા તાલુકા:- ૧) ઉમરેઠી, ૨) માલજીજીંજવા, ૩) સેમરવાવ વેરાવળ તાલુકા:- ૧) ભેરાળા, ૨) મંડોર, ૩) ઈશ્વરીયા, ૪) ઈન્દ્રોઈ, ૫) નાવદ્રા, ૬) સોનારીયા, ૭) સવની, ૮) બાદલપરા, ૯) મીઠાપુર, ૧૦) કાજલી, ૧૧) પ્રભાસ પાટણ હિરણ ડેમ ઉપરના અધિકારી પીઠીયા એ જણાવેલ કે આ ડેમ બન્યા બાદ ૧૯૮૨માં પ્રથમવાર ભરાયો હતો અને ત્યારબાદ આ ડેમના દરવાજા બદલવા આવેલ નથી અને લાંબા સમય થતાં આ દરવાજા ધીમે ધીમે ડેમેજ જયેલ જેથી બદલવા જરૂરી હતા જેથી ડેમ ઉપરના સાત દરવાજા નવા બદલવામા આવશે અને તેના માટે અમુક લેવલ નુ પાણી ખાલી કરવા માટે બે દરવાજા ખોલવામાં આવેલ છે આ પાણી નીકળવા છતાં પાણીનો જથ્થો અનામત રહેશે અને જુન સુધી પીવાનુ પાણી મળી રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMકોણ છે અનંત અંબાણીના સાઢુભાઈ? લાઈમલાઈટથી દૂર, ફેશન ઈન્ડસ્ટ્રીનું મોટું નામ
October 05, 2024 06:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech