મહુઆ મોઇત્રા પર એથિક્સ કમિટીનો રિપોર્ટ સોમવારે સંસદમાં રજૂ કરાશે

  • December 02, 2023 12:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બહુચર્ચિત મુદો કેશ ફોર ક્વેરી અંતર્ગત તૃણમૂલ સાંસદમહુઆ મોઇત્રા અપર જે આરોપો લાગ્યા છે તે અનુસંધાને એથિક્સ કમિટિનો રિપોર્ટ સોમવારે સંસદમાં રજૂ થશે, તેના આધારે મહુઆ મોઇત્રાને હાંકી કાઢવાની ભલામણ કરવામાં આવશે.લોકસભા સચિવાલય દ્વારા જારી કરાયેલ એજન્ડા અનુસાર, એથિક્સ કમિટીના અધ્યક્ષ વિનોદ કુમાર સોનકર પેનલનો પ્રથમ રિપોર્ટ ગૃહમાં રજૂ કરશે.

લોકસભાની એથિક્સ કમિટી સોમવારે ગૃહમાં રિપોર્ટ રજૂ કરશે જેમાં તૃણમૂલ સાંસદ મહુઆ મોઇત્રાને ’નાણા લઈને પ્રશ્નો પૂછવા’ના મામલામાં હાંકી કાઢવાની ભલામણ કરવામાં આવશે. એક અધિકારીએ આ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે આ સમિતિના છ સભ્યોએ અહેવાલની તરફેણમાં મતદાન કર્યું હતું. તેમાં કોંગ્રેસના સાંસદ પ્રનીત કૌરનો પણ સમાવેશ થાય છે, જેમને અગાઉ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વિરોધ પક્ષો સાથે જોડાયેલા પેનલના ચાર સભ્યોએ અસંમતિ નોંધો રજૂ કરી હતી.


વિપક્ષી સભ્યોએ અહેવાલને ફિક્સ્ડ મેચ ગણાવ્યો હતો. સમિતિએ ભાજપના લોકસભા સભ્ય નિશિકાંત દુબે દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદની સમીક્ષા કરી હતી.મહુઆ મોઇત્રાને ત્યારે જ હાંકી કાઢવામાં આવશે જો ગૃહ પેનલની ભલામણની તરફેણમાં મત આપે.ઉલેખનીય છે કે સંસદનું શિયાળુ સત્ર સોમવારથી શરૂ થશે અને 22 ડિસેમ્બર સુધી ચાલશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application