જામનગર: ચણાના ઊભા પાકમાં લીલી ઈયળના રોગને નિયંત્રિત કરવા ખેડૂતો માટે ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ
આ ઉપરાંત પક્ષીઓને ઈયળ શોધવામાં સરળતા રહે તે માટે ઉભા પાકમાં અંગ્રેજી ટી (T) આકારના પક્ષીઓને બેસવાના ટેકા હેકટરે ૪૦-૫૦ની સંખ્યામાં છોડથી ૦૩ ફૂટ ઉંચાઇએ મુકવા જોઈએ. સાથે જ લીંબોળીનાં મીંજનું ૦પ ટકા દ્રાવણ ૫૦૦ ગ્રામ મીજનો પાવડર ૧૦ લિટર પાણીમાં ભેળવીને ૨ થી ૩ છંટકાવ કરવાથી લીલી ઈયળનું અસરકારક રીતે નિયંત્રણમાં લાવી શકાય છે. લીમડા આધારિત તૈયાર કીટનાશક ૧૦ મિ.લિ.(૫ ઇસી), નફફટીયાના પાન ૫૦૦ ગ્રામ, અરડૂસીના પાનનો ૫૦૦ ગ્રામ અર્ક ૧૦ લિટર પાણીમાં ભેળવી ૨ થી ૩ છંટકાવ કરવાથી આ રોગને અસરકારક રીતે કાબુમાં લઇ શકાય છે.
લીલી ઈયળના જૈવિક નિયંત્રણ માટે બેસીલસ થુરીન્જીન્સીસ ૫ ડબલ્યુપી ૨૦ ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના ૧ ડબલ્યુપી ૪૦ ગ્રામ પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા એક હેક્ટર માટે ર૫૦ રોગીષ્ટ ઈયળનું દ્રાવણ (એન.પી.વી.) બનાવી ૫૦૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો જોઈએ.
વધુમાં જરૂરીયાત જણાયેથી લીલી ઈયળના રાસાયણિક નિયંત્રણ માટે છોડમાં ૫૦ ટકા ફુલ બેસવાની અવસ્થાએ અને ત્યારબાદ ૧૫ દિવસે ૨૦ મિ.લિ કિવનાલફોસ., ૦ર મિ.લિ. ફલુબેન્ડીયામાઈડ, ૧.૫ મિ.લિ. કલોરાન્ટ્રાનીલીપ્રોલ, ૦ર ગ્રામ ઈમામેકટીન બેન્જોએટ દવા ૧૦ લિ. પાણીમાં ભેળવીને છાંટવી જોઈએ. જ્યારે પાણીની અછતવાળા વિસ્તારમાં ચણાના પાકમાં ૧.૫ ટકા ભુકી કિવનાલફોસ ૨૫ કિ.ગ્રા પ્રતિ હેકટરના પ્રમાણમાં છાંટવાથી હકારાત્મક પરિણામ મળે છે. દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech