પોરબંદરના કુતિયાણાના ઘેડ પંથકમાં વધુ વરસાદ અને ઉપરવાસમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે પાકને વ્યાપક નુકશાન થયુ છે તો જમીન ધોવાણ પણ થયુ છે. તેથી કોંગ્રેસ દ્વારા કુતિયાણામાં બુધવારે રેલી અને પ્રાંત અધિકારીને આવેદન સહિત કાર્યક્રમો યોજાશે.
હાલમાં થયેલ અતિવૃષ્ટિ થી કુતિયાણા તાલુકાના તમામ ગામોમાં વાવેતર પાણીમાં તણાઈ જવાથી નિષ્ફળ ગયા છે, જેવા કે મગફળી, તલ, કપાસ, સોયાબીન જેવા તમામ પાકો નિષ્ફળ ગયેલા છે. ભાદર નદી અને ઓઝત નદીના ધોધમાર પાણી વહેણના કારણે ખેતરો તેમજ ઘેડ વિસ્તારમાં પારાવાર નુકસાન થયેલ છે, તેમજ અહીંના તમામ વિસ્તારમાં જાનમાલનું નુકશાન થયેલ હોવાથી, તાત્કાલિક સહાય ચૂકવવા તેમજ ધારાધોરણ મુજબ કેસડોલ્શ ચુકવણી કરવા જેવી બાબતોનું આવેદનપત્ર આપવામાં આવશે.
આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કીશાન સેલના પ્રમુખ પાલભાઈ આંબલીયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ હીરાભાઈ જોટવા, પોરબંદર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ રાજુભાઇ ઓડેદરા, પોરબંદર જીલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતા ઠેબાભાઈ ચૌહાણ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મહામંત્રી રામભાઈ મા, તાલુકા કોંગ્રેસ સમિતિ કુતિયાણાના પ્રમુખ અરજણભાઈ સોલંકી, તાલુકા પંચાયતના ઉપનેતા હીરીબેન હરદાસભાઈ દાસા, આગેવાન ભીમાભાઇ મોડેદરા, પોરબંદર તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈ ગોઢાણીયા, રાણાવાવ શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ મીલન સોની, કિસાન અગ્રણી પ્રતાપભાઈ ખિસ્તરીયા, પોરબંદર શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ વિપુલભાઈ ચંદારાણા, સેવાદળના હરીશભાઈ મજીઠીયા, અશ્ર્વિનભાઈ મોતીવરસ, સુરેશભાઈ મકવાણા, પ્રવકતા ભાર્ગવ જોષી, યુવા કોંગ્રેસ અગ્રણી અજયભાઈ મોઢા, સીનિયર આગેવાનો અને પોરબંદર જીલ્લા, તાલુકા કોંગ્રેસની ટીમ હાજર રહેશે. આથી જિલ્લાના કોંગ્રેસ કાર્યકર્તા, આગેવાન અને સમર્થકો તેમજ તમામ જનતાને અપીલ કરવામાં આવે છે કે આવતીકાલે તારીખ ૪/૯/ને બુધવારે સવારે ૧૦:૦૦ કલાકે, કસ્ટમ ચોક, કુતિયાણા ખાતેથી મામલતદાર કચેરી સુધી રેલી સ્વપે જવાનું છે, આથી તમામ લોકોએ ઉપસ્થિત રહેવા કુતિયાણા તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી અપીલ કરવામાં આવે છે, એવી પ્રદેશ મહામંત્રી રામભાઇ માની અખબારી યાદી જણાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech