પાલનપુરના RTO સર્કલ પર નિર્માણ થઈ રહેલા બ્રિજનો સ્લેબ ધરાશાયી મામલે મુખ્યમંત્રીએ આપ્યા તપાસના આદેશ

  • October 23, 2023 07:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાલનપુર શહેરમાં નેશનલ હાઈવે 58 પર રેલવે ઓવરબ્રિજના એપ્રોચના ગર્ડર ટોપલ થવાની દુર્ઘટનાની અત્યંત ગંભીરતાથી નોંધ લીધી છે. મુખ્યમંત્રીએ આ દુર્ઘટનાના પ્રાથમિક કારણો જાણવા માટે રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગના ક્વોલિટી કંટ્રોલના અધિક્ષક ઇજનેર, ડિઝાઇન સર્કલના અધિક્ષક ઇજનેર તેમજ GERIના અધિક્ષક ઇજનેરને તાત્કાલિક પાલનપુર પહોંચવાના આદેશો કરવામાં આવ્યા છે. આ અધિક્ષક ઇજનેરો પાલનપુર જવા રવાના થયા છે અને સ્થળ તપાસ કરીને દુર્ઘટનાના પ્રાથમિક કારણો તાત્કાલિક રાજ્ય સરકારને જણાવશે.


બનાસકાંઠાના પાલનપુર શહેરના RTO સર્કલ પર વધી રહેલા ટ્રાફિકને લઈ ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે આજે અચાનક જ નિર્માણ થઈ રહેલ બ્રિજનો એક સ્લેબનો ભાગ અચાનક જ ધરાશાયી થયો હતો. સ્લેબ ધરાશાયી થતા એક ટ્રેક્ટર અને રિક્ષા સ્લેબના કાટમાળ નીચે દટાયાના સમાચાર સામે આવ્યા હતા. ઘટનાને લઈ અધિકારીઓનો કાફલો તાત્કાલીક ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. તેમજ તપાસ શરૂ કરી દેવામાં આવી હતી.


મહત્વનું છે કે રેલવે ટ્રેક નજીક જ આ સ્લેબ તૂટી જવાની ઘટના ઘટતા રાજ્યમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. અને ઘટનાને પગલે વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ રેલવે અને સ્થાનિક તંત્રના અધિકારીઓ પણ તાત્કાલીક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. જિલ્લા ક્લેકટરે બતાવ્યુ હતુ કે, પ્રાથમિક તપાસ માટે વિગતો એકઠી કરવામાં આવી છે. ઘટનાની ક્ષતિ સામે આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application