પોરબંદર સહિત દરિયાઈ પટ્ટી પરના જિલ્લામાં વરસાદથી જાનહાની થાય નહી તે અંગે મુખ્યમંત્રીએ આપી સુચના

  • June 18, 2025 01:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દરિયાઈ પટ્ટી પરના પોરબંદર સહિતના જિલ્લાઓમાં વધુ વરસાદને કારણે જાનહાની થાય નહી તે માટે મુખ્યમંત્રીએ વિડીયો કોન્ફરન્સથી કલેકટરને માર્ગદર્શન આપ્યુ હતુ.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વરસાદથી પ્રભાવિત જિલ્લાઓના જનજીવનને થયેલી અસરની સ્થિતિની માહિતી મેળવવા સંબંધિત જિલ્લા કલેકટરો સાથે વીડિયો કોન્ફરન્સ યોજી હતી.મુખ્યમંત્રી  ગાંધીનગરમાં સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો તેમજ પોલીસ, હવામાન વિભાગ, એન.ડી.આર.એફ., કોસ્ટગાર્ડના અધિકારીઓ સાથે બેઠક યોજીને તંત્રની સતર્કતા-સજ્જતાની સમીક્ષા કરી હતી.


ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં નદીઓમાં પુર આવવાને પરિણામે નાના પુલો, નાાળા, કોઝવે પરથી ભયજનક રીતે વહેતા પાણીમાં કોઈ વાહન કે વ્યક્તિ ન જાય તેની તકેદારી રાખવાની તેમણે સુચનાઓ આપી હતી.એટલું જ નહી, આવા સ્થળોએ ચેતવણી સુચક બોર્ડ અને જરૂર જણાયે પોલીસ બંદોબસ્ત ગોઠવવાના નિર્દેશો પણ મુખ્યમંત્રી આપ્યા હતા.મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે ભારે વરસાદને કારણે જે વિસ્તારોના ગામોમાં સંપર્ક - કોમ્યુનિકેશન નેટવર્કને અસર પહોંચી છે ત્યાં સેટેલાઈટ ફોન અને અન્ય વૈકલ્પિક વ્યવસ્થા તત્કાલ ઉભી કરી એવા ગામોનો સંપર્ક પ્રસ્થાપિત કરવાની સુચનાઓ આપી હતી.નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોનું તેમજ પશુઓ, ઢોર-ઢાંખરનું સલામત સ્થળે સ્થળાંતર કરવાની યોગ્ય વ્યવસ્થાઓ તેમજ આવા આશ્રય સ્થાનોમાં ખાવા-પીવાની, આરોગ્યની પુરતી સુવિધા જળવાય તે માટે મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટરોને સુચનાઓ આપી હતી.તેમણે હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં વ્યાપક વરસાદની જે આગાહી કરી છે


તે સંદર્ભમાં પણ તંત્ર વાહકો પુરતું આયોજન કરીને ઝીરો કેઝ્યુઅલ્ટીના અપ્રોચથી સતર્ક રહે તેવું માર્ગદર્શન આપ્યુ હતુ.વરસાદી સ્થિતિમાં નાગરિકોને સલામત સ્થળે ખસેડવા અને આપત્તિના સમયે નાગરિકોના બચાવ માટે  એન.ડી.આર.એફ.ની ૧૨ ટીમો ૧૨ જિલ્લામાં ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના ૨૦ જિલ્લાઓમાં એસ.ડી.આર.એફ.ની ટીમો પણ ડિપ્લોય કરવામાં આવી છે.આમ રાજ્યના બધા જ જિલ્લાઓમાં એન.ડી.આર.એફ. અને એસ.ડી.આર.એફ.ની ટીમો સ્થાનિક પ્રશાસનની જરૂર જણાયે મદદ માટે તૈનાત રાખવામાં આવી છે.


સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી હાલની સ્થિતિએ જે માર્ગો બંધ છે તે માર્ગોને સત્વરે પુન: કાર્યરત કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સુચનાઓ આપી હતી.ભારે વરસાદ અસરગ્રસ્ત જિલ્લાઓમાં નિચાણવાળા વિસ્તારોમાંથી કુલ ૨૫૯ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.આ ઉપરાંત રાજ્યમાં ૧૩૯ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.મુખ્યમંત્રીએ  બોટાદ અમરેલી જિલ્લાના કલેકટરો સાથે વિડિયો કોન્ફરન્સથી વાતચીત કરીને તેમને ત્યાં થયેલી બચાવ રાહત અને અન્ય કામગીરીની સમીક્ષા કરી હતી.આ બેઠકમાં મુખ્ય સચિવ  પંકજ જોષી અને અધિક મુખ્ય સચિવો તથા વરિષ્ઠ સચિવો,એન.ડી.આર.એફ. અને હવામાન વિભાગના અધિકારીઓ જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News