શહેરના મોરબી રોડ પર આવેલા ગણેશનગરમાં રહેતા યુવાને ઇન્સ્ટાગ્રામ પર રોકાણ પર સારા વળતરની જાહેરાત જોઇ રોકાણ કર્યું હતું જેમાં તેને રૂ.૧૬.૬૭ લાખ ગુમાવવાનો વારો આવ્યો હતો. શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી, બનાવટી એપ ડાઉનલોડ કરાવી તેમાં ઊંચો નફો બતાવી છેતરપિંડી કર્યા અંગે યુવાને સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેના ત્રણ બેન્ક ખાતાઓમાં છેતરપિંડીની રકમ જમા થઈ હતી તેના ધારકોને પોલીસે આરોપી બનાવી તપાસ હાથ ધરી છે.
સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી
જાણવા મળતી વિગતો મુજબ, મોરબી રોડ પર ગણેશનગરમાં રહેતા અને ખાનગી નોકરી કરનાર રણજીતભાઈ રૂડાભાઈ સોલંકી (ઉ.વ.૪૩) એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઇ તા. ૨૩ એપ્રિલના રોજ તેણે ઇન્સ્ટાગ્રામમાં શેરબજારની ટીપ્સ મેળવી સારૂ રિટર્ન મેળવો તેવી એડ જોઈ હતી. જેમાં ક્લીક કરતાં એક વોટ્સએપ નંબર આવ્યો હતો. તે વખતે સામાવાળાએ પોતાની શારોન ત્રિવેદી તરીકે ઓળખ આપી શેરબજાર વિશે સમજાવ્યું હતું.જેથી તેના વિશ્વાસમાં આવી જઇ તેણે મોકલેલી લીંકના આધારે પ્લે સ્ટોર ઉપરથી એક એપ ડાઉનલોડ કરી હતી. જેમાં ફરિયાદીએ પોતાનું એકાઉન્ટ બનાવી પાનકાર્ડની ડીટેઈલ નાખી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.
આ રકમ ભરવાનો ઇનકાર કર્યો હતો
ત્યારબાદ સામાવાળાએ તેમને એક સ્ટોકમાં રોકાણ કરવાનું કહેતા રૂા. ૪ લાખનું રોકાણ કર્યું હતું. ધીરે-ધીરે સામાવાળાના વિશ્વાસમાં આવી કુલ રૂા. ૧૬.૧૭ લાખનું રોકાણ કર્યું હતું.જેની સામે તેને સામાવાળાએ ડાઉનલોડ કરાવેલી એપમાં રૂા. ૪૧.૧૫ લાખનો નફો બતાવાતો હતો. જેથી તેણે આ રકમ ઉપાડી લેવાની વાત કરતાં સામાવાળાએ તેને બેન્ક સાથે સેટલમેન્ટના નામે રૂા. ૪ લાખ જમા કરાવવાનું કહ્યું હતું. પરંતુ તેમને કંઇક શંકાસ્પદ જણાતા આ રકમ ભરવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન પર ફરિયાદ કરી હતી.
સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કર્યો
જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કર્યો હતો. આ અંગે ત્રણ બેન્ક ખાતામાં ઠગાઈની રકમ જમા થઈ હતી તેના ધારકોને આરોપી બનાવી સાયબર ક્રાઈમ પોલીસના પીઆઇ એમ.એ.ઝણકાટ અને સ્ટાફે આ કારસ્તાનના મૂળ સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર એસ.ઓ.જી. દ્વારા લાલપુર ખાતે NDPS અંગે સેમિનાર યોજાયો
June 18, 2025 07:13 PMઅમદાવાદ પ્લેન ક્રેશ: 208 મૃતકોના DNA મેચ, 173 મૃતદેહો પરિવારોને સુપરત
June 18, 2025 06:43 PMદેવભૂમિ દ્વારકા..જિલ્લામાં ત્રણ વર્ષમાં રૂ.100 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
June 18, 2025 06:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech