રાજકોટ મહાનગરપાલિકા અને રૂડાના રૂ.૫૬૫ કરોડના વિકાસકામોના લોકાર્પણ પ્રસંગે કટારીયા ચોકડી ખાતે યોજાયેલ જાહેર સભા અંતર્ગત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલએ સ્પીચના પ્રારંભે ડાયસ ઉપર ઉપસ્થિત પદાધિકારીઓને તેમના હોદ્દા અને નામ સાથે સંબોધિત કર્યા હતા વેળાએ સ્ટેજ ઉપર પ્રથમ હરોળમાં બાજુ બાજુની ખુરશીમાં બેઠેલા રાજકોટ શહેર ભાજપના બંને પૂર્વ પ્રમુખો કમલેશ મિરાણી અને મુકેશ દોશી સામે જોઇ મુખ્યમંત્રીએ હળવા મૂડમાં એવું પૂછ્યું હતું કે બન્ને પૂર્વ પ્રમુખો ક્યાં ખોવાઇ ગયા છો ? આ સવાલનો બંને પૂર્વ પ્રમુખો કંઇ જવાબ આપે તે પહેલા જ હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું.
મુખ્યમંત્રીએ ડાયસ ઉપર ઉપસ્થિતોને સંબોધન કરતી વેળાએ ડાયસ ઉપર બેઠેલા બન્ને પૂર્વ પ્રમુખો સામે જોઇ દસેક સેકન્ડ માટે સ્પીચ અટકાવી હતી અને ત્યારબાદ આવું પૂછતાં રમૂજ પ્રસરી ગઇ હતી. આવું પુછવાનો સૂચિતાર્થ શું ? સીએમએ કેમ આવું પુછ્યું હશે ? તેની રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી હતી. જો કે બન્ને પૂર્વ પ્રમુખોને પણ એ બાબત સમજાય ન હતી કે સીએમ એ કેમ આવું પૂછ્યું. સાંભળનારાઓએ સૌએ પોતપોતાની રીતે વાતનો અર્થ કાઢ્યો હતો પરંતુ પીઢ અને પારખું નેતાઓ મુખ્યમંત્રીઓ કરેલો મર્મ સમજી ગયા હતા. જો કે મુખ્યમંત્રીએ પણ મર્મ કર્યા બાદ તુરંત જ આગળની વાતનું અનુસંધાન સાધી મુળ વાતનો દોર જાળવી રાખ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech