પોરબંદર જીલ્લાની અતિવૃષ્ટિ માટે રાહત પેકેજ જાહેર કરવા બદલ થેન્કયુ: ભાજપ

  • August 31, 2024 04:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદર જીલ્લાની અતિવૃષ્ટિ માટે રાહત પેકેજ જાહેર કરવા બદલ ભાજપ સરકારનો આભાર માન્યો છે.
પોરબંદર જિલ્લામાં પડેલ ભારે વરસાદને કારણે થયેલી અતિવૃષ્ટિને કારણે પોરબંદર જિલ્લા સંગઠન અને પોરબંદરના ધારાસભ્ય  અર્જુનભાઈ મોઢવાડિયા, પુર્વ કેબિનેટમંત્રી  બાબુભાઈ બોખીરીયા, જિલ્લાના પ્રમુખ રમેશભાઈ ઓડેદરા તેમજ  પોરબંદર જિલ્લા પંચાયતના પ્રમુખ  પરબતભાઈ પરમાર  દ્વારા કરેલી રજુઆત સંદર્ભે ગુજરાત સરકાર દ્વારા ખેડુતો માટે  કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે,તે બદલ અમો ગુજરાત રાજયના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ  પોરબંદરના સાંસદ સભ્ય  કેન્દ્રના મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા,કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ અને પોરબંદર જિલ્લાના પ્રભારીમંત્રી  કુંવરજીભાઇ બાવરીયા તેમજ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાનો પોરબંદર જિલ્લાવતી આભાર વ્યક્ત કર્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application