જમ્મુ–કાશ્મીરના બારામુલ્લામાં ઉરી બોર્ડર પર ઘૂસણખોરી કરી રહેલા આતંકવાદીઓની સૈનિકો સાથે અથડામણ થઈ હતી. આ અથડામણમાં સેનાએ એક આતંકીને ઠાર કર્યેા હતો. આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા દળોએ શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના બારામુલા જિલ્લામાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો, જેમાં એક આતંકવાદી માર્યેા ગયો હતો.
તેમણે કહ્યું કે સતર્ક સેનાના જવાનોએ જિલ્લાના ઉરી વિસ્તારમાં સબુરા નાલા સ્તમમાં બોર્ડર પર શંકાસ્પદ ગતિવિધિઓ જોઈ અને ઘૂસણખોરોને પડકાર ફેંકયો. જો કે, તે દરમિયાન ઘૂસણખોરોએ ગોળીબાર કર્યેા જેમાં સૈનિકોએ જવાબી કાર્યવાહી કરી, જેના પરિણામે એક આતંકવાદી માર્યેા ગયો.
રાજાૈરી જિલ્લામાં બે અલગ–અલગ સ્થળોએ શંકાસ્પદ નજરે પડવાની સૂચના પર પોલીસ, સેના અને સીઆરપીએફના જવાનોએ સંયુકત રીતે સર્ચ ઓપરેશન શ કયુ હતું. સુરક્ષા દળોએ આ ઓપરેશન થન્ના મંડી તહસીલના ડોરી માલ જંગલમાં ગુવારે બપોરે ૩ વાગ્યાની આસપાસ શ કયુ હતું.
સૂત્રોનું કહેવું છે કે સ્થાનિક લોકોએ જંગલની અંદર ત્રણ શંકાસ્પદ લોકોને જોયા પછી તરત જ નજીકમાં તૈનાત સેનાના જવાનોને જાણ કરી. સેનાએ આ માહિતી પોલીસ અને સીઆરપીએફ સાથે શેર કરી અને સંયુકત રીતે જંગલ વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન શ કયુ.
આ અંગેની માહિતી મળતા જ સેના અને પોલીસના વરિ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જોકે, હજુ સુધી સુરક્ષા દળોને કોઈ સફળતા મળી નથી. બીજી તરફ, સુરક્ષા દળોને રાજાૈરીના ધાર સાકરી વિસ્તારમાં બે શંકાસ્પદ નજરે પડવાની માહિતી મળી હતી, જેના પછી સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શ કયુ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech