જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓએ બે આર્મી સૈનિકોનું અપહરણ કર્યું હતું, જેમાંથી એક તો ચકમો આપીને નાસી છૂટવામાં સફળ થયો હતો.એક હજુ પણ લાપતા હોવાનું સુત્રોએ જણાવ્યું છે. હાલ સુરક્ષાદળો દ્વારા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને ગુમ સૈનિકની શોધ ચલાવવામાં આવી રહી છે.
જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગના શાંગાસ વિસ્તારમાં આતંકવાદીઓએ બે સૈનિકોનું અપહરણ કર્યું હતું, પરંતુ તેમાંથી એક કોઈ રીતે ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો હતો જ્યારે અન્ય એક હજુ પણ ગુમ છે. સુરક્ષા દળો ગુમ થયેલા જવાનની શોધમાં વ્યસ્ત છે. આતંકવાદીઓએ જે સૈનિકનું અપહરણ કર્યું હતું તે ટેરિટોરિયલ આર્મીનો હતો. જમ્મુ અને કાશ્મીરમાં આ ઘટના એવા સમયે બની છે જ્યારે વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા. જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી આતંકવાદી ગતિવિધિઓ જોવા મળી રહી છે, જેના પર સુરક્ષા દળોએ પણ કાર્યવાહી કરી છે. ઓગસ્ટમાં સુરક્ષા દળોએ અનંતનાગ જિલ્લાના બિજબેહરા વિસ્તારમાં આતંકવાદીઓના ત્રણ સહયોગીઓની ધરપકડ કરી હતી. ઓપરેશન દરમિયાન, સુરક્ષા દળોએ ધરપકડ કરાયેલા સહયોગીઓના કબજામાંથી એક પિસ્તોલ, એક મેગેઝિન, 29 ગોળીઓ અને બે હેન્ડ ગ્રેનેડ જપ્ત કયર્િ હતા.
2020માં પણ જવાનનું અપહરણ થયું હતું
અગાઉ ઓગસ્ટ 2020 માં, આતંકવાદીઓએ કાશ્મીરમાં ટેરિટોરિયલ આર્મીના સૈનિક શાકિર મંજૂર વેજનું અપહરણ કર્યું હતું, જેના પાંચ દિવસ પછી પરિવારને તેના કપડાં ઘરની નજીક મળ્યા હતા. તે દક્ષિણ કાશ્મીરના શોપિયાંના હરમનમાં તેના ઘર નજીકથી ગુમ થઈ ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech