પુલવામામાં સુરક્ષાદળો વચ્ચે અથડામણમાં આતંકવાદી ઠાર

  • April 11, 2024 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જમ્મુ–કાશ્મીરના પુલવામામાં આજે સવારથી સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે જેમાં એન્કાઉન્ટરમાં એક આતંકી માર્યા ગયાના સમાચાર છે. આ ઉપરાંત ત્યાં અન્ય એક આતંકવાદી છે જેને સુરક્ષા દળોએ ઘેરી લીધો છે. હજુ સર્ચ ઓપરેશન ચાલુ છે.
પ્રા માહિતી અનુસાર, પુલવામા વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળો દ્રારા કોર્ડન અને સર્ચ ઓપરેશન દરમિયાન આતંકવાદીઓએ જિલ્લાના આર્શીપોરા વિસ્તારમાં ગોળીબાર કર્યેા હતો. જવાબી કાર્યવાહીમાં એક આતંકી માર્યેા ગયો હતો અને બીજાને સુરક્ષા દળોએ ઘેરી લીધો હતો.

સુરક્ષા દળો જમ્મુ–કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. તાજેતરમાં, જમ્મુ અને કાશ્મીર પોલીસે રાજાૈરી અને પૂંચના સરહદી જિલ્લાઓમાં લશ્કર–એ–તૈયબાના આતંકવાદી મોડુલનો પર્દાફાશ કર્યેા હતો. આ મોડુલમાંથી સાત લોકોની ઓળખ કરવામાં આવી છે, જેમાંથી ત્રણની ધરપકડ કરવામાં આવી છે.તે તમામ સરહદ પારથી જિલ્લામાં ડ્રોન દ્રારા છોડવામાં આવેલા હથિયારો, દાગોળો, વિસ્ફોટકો, રોકડ અને માદક દ્રવ્યો મેળવવા અને તેની દાણચોરીમાં સામેલ હતા.પોલીસે પાકિસ્તાનમાં બેઠેલા આ મોડુલના નેતા અને લશ્કર–એ–તૈયબાના મોહમ્મદ કાસિમ માટે ૧૦ લાખ પિયાના ઈનામ સાથેનું પોસ્ટર બહાર પાડું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application