આજે બપોરે લગભગ 1:30 વાગ્યે આતંકવાદીઓએ ભારતીય સેનાના વાહન પર ગોળીબાર કરીને હુમલો કર્યો હતો. આ ઘટના સુંદરબનીથી લગભગ 6 કિમી દૂર પાંડવો દ્વારા બાંધવામાં આવેલા ઐતિહાસિક ગંધેહ મંદિરની બાજુમાં આવેલા જંગલ વિસ્તારમાં બની હતી.
હુમલા બાદ તરત જ આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે. ઘટનાસ્થળે વધારાની ફોર્સ મોકલવામાં આવી છે. આતંકવાદીઓને પકડવા માટે મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ ઘટનામાં ભારતીય સેનાના કોઈપણ સૈનિકના જાનહાનિ કે ઈજાની કોઈ પુષ્ટિ નથી. તે જ સમયે, ભારતીય સેના અને સુરક્ષા દળોએ આ વિસ્તારમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે, પરંતુ આ ઘટના અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન કે પુષ્ટિ કરવામાં આવી નથી. આ ઘટના બાદ, સુરક્ષા દળો દ્વારા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અને તમામ પાસાઓ પર તપાસ ચાલી રહી છે.
આ પહેલાં 7 ફેબ્રુઆરીએ માહિતી સામે આવી હતી કે ભારતીય સેનાએ 7 પાકિસ્તાની ઘુસણખોરોને ઠાર માર્યા હતા. તેમાં ત્રણ પાકિસ્તાની સેનાના સૈનિકો પણ સામેલ હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામ ખંભાળીયામાં મહા શિવરાત્રીના પાવન પર્વ દિવસે ખામનાથ મહાદેવજીની વરણાગી શોભાયાત્રા યોજાઇ
February 26, 2025 06:34 PMસૂફી સંત શંકરડાડા ની 37 મી પુણ્યતિથિ ની આસ્થા સભર ઉજવણી
February 26, 2025 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech