શહેરમાં હાર્ટએટેકથી બે આધેડના મુત્યુ: પરિવારમાં ગમગીની

  • April 23, 2025 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીનગરમાં રહેતા નોૈશાદભાઇ રૈયા ચોકડી પાસે પોતાની ઇલેક્ટ્રિકની દુકાને હતા ત્યારે અને ખોડિયારનગરમાં હેમુભા ઘરે બેભાન થઇ ઢળી પડતા દમ તોડ્યો




શહેરમાં હાર્ટ એટેકથી બે આધેડના મૃત્યુ થયાના બનાવ સામે આવ્યા છે. ગાંધીગ્રામમાં ભારતીનગરમાં રહેતા આધેડ રૈયા ચોકડી પાસે આવેલી પોતાની ઇલેક્ટ્રિકની દુકાને હતા ત્યારે છાતીમાં થયેલો દુઃખાવો જીવલેણ નીવડ્યો હતો. જયારે ગોંડલ રોડ પર ખોડિયારનગરમાં આધેડ ઘરે હતા ત્યારે બેભાન થઇ જતા મૃત્યુ થયું હતું.


પ્રાપ્ત વિગત મુજબ ગાંધીગ્રામ ભારતીનગર-૧માં રહેતાં નોૈશાદભાઇ મુબારકઅલી અંસારી (ઉ.વ.૫૧) નામના આધેડ ગત સાંજે રૈયા ચોકડી પાસે કિસ્‍મત હોટલ ઉપરના ભાગે આવેલી પોતાની ઇલેક્‍ટ્રોનીકની દુકાને હતાં ત્‍યારે છાતીમાં દુઃખાવો થતા દુકાનમાં જ ઢળી પડતા તાકીદે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં ફરજ પરના તબીબે પ્રાથમિક તપાસ કરી મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ હતી. મૃત્યુ પામનાર નૌશાદભાઈ ત્રણ ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. પરિવારજનોએ હાર્ટએટેક આવી ગયાનું જણાવ્યું હતું. બનાવથી પરિવારમાં માતમ છવાયો હતો. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.


બીજા બનાવમાં ગોંડલ રોડ ખોડિયારનગર-૧૦માં રહેતાં હેમુભા નારૂભા ડાભી (ઉ.વ.૫૮)નામના આધેડ સાંજે ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઇ જતાં સિવિલ માં ખસેડાયા હતાં. ત્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસમાં જાણ કરતા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાગળો કર્યા હતા. મૃતક ત્રણ બહેન અને ચાર ભાઇમાં ત્રીજા હતાં. સંતાનમાં ત્રણ દિકરી છે. પોતે નવાગામ કારખાનામાં પ્રાઇવેટ નોકરી કરતાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application