જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં ભારતીય સેનાના કેમ્પ પર આતંકી હુમલો થયો છે. આતંકીઓને શોધવાનું ઓપરેશન ચાલુ છે. વિસ્તારને સંપૂર્ણ રીતે ઘેરી લેવામાં આવ્યો છે.જમ્મુમાં છેલ્લા કેટલાક મહિનામાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. આ હુમલાઓમાં આતંકીઓએ સુરક્ષા દળોને નિશાન બનાવ્યા છે. જમ્મુમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે સુરક્ષા દળોએ પણ ઓપરેશન શરૂ કર્યું છે.આ ઘટના અંગે માહિતી આપતાં સંરક્ષણ પ્રવક્તા કર્નલ સુનિલ બારતવાલે કહ્યું કે, સેનાએ રાજૌરીથી દૂર એક ગામમાં આર્મી પોસ્ટ પર આતંકવાદીઓના મોટા હુમલાને નિષ્ફળ બનાવાયો છે. આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર હજુ પણ ચાલુ છે. વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે.
જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષા દળોએ આર્મી પોસ્ટ પર હુમલો કરવાના આતંકવાદીઓના કાવતરાને નિષ્ફળ બનાવ્યો હતો. ત્યારથી આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. બંને તરફથી સતત ગોળીબાર થઈ રહ્યો છે. આ પોસ્ટ રાજૌરીના ગુંડા ખવાસ વિસ્તારમાં છે.અત્યાર સુધી શાંતિપૂર્ણ ગણાતા જમ્મુ વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનામાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે. આ હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ હોવાનું કહેવાય છે. આ વિસ્તારમાં ઘૂસણખોરીની ઘટનાઓ પણ વધી છે. જમ્મુમાં આતંકવાદની કમર તોડવા માટે સુરક્ષા એજન્સીઓએ ઘણા મોટા ઓપરેશન પણ શરૂ કયર્િ છે.
આયોજનબદ્ધ ઓપરેશન ચલાવવા લેફ્ટનન્ટ ગવર્નર દ્વિવેદીનો નિર્દેશ
જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા અને આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ શનિવારે અહીં ઉચ્ચ સ્તરીય સંયુક્ત સુરક્ષા સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં બોર્ડર સિક્યુરિટી ફોર્સ , સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ , જમ્મુ અને કાશ્મીર પોલીસના મહાનિર્દેશકો, ગુપ્તચર એજન્સીઓના વડાઓ અને અન્ય વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓએ હાજરી આપી હતી.આ દરમિયાન લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું હતું કે, આપણે આતંકવાદીઓ અને તેમને ટેકો આપ્નારાઓને ખતમ કરવા માટે તમામ એજન્સીઓ વચ્ચે વધુ સારા સંકલન સાથે સાવધાનીપૂર્વક અને આયોજનબદ્ધ આતંકવાદ વિરોધી ઓપરેશન શરૂ કરવું જોઈએ. સિન્હાએ એ પણ નિર્દેશ આપ્યો છે કે સરહદ પારથી ઘૂસણખોરી રોકવા માટે સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવામાં આવે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકા બરડીયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે અકસ્માત, 3 થી 4 લોકોના મોત થયાની આશંકા
September 28, 2024 09:01 PMઅમેરિકામાં 'હેલેન' વાવાઝોડાએ તબાહી મચાવી, એક મહિનાના જોડિયા બાળકો સહિત 44ના મોત
September 28, 2024 08:42 PMBCCIની બેઠકમાં IPL પર લેવાશે મોટો નિર્ણય, અધ્યક્ષ સહિત આ 3 પદો પર નિર્ણય!
September 28, 2024 08:38 PMરાજકોટ: મંદિરના પૂજારીને માર મારતો હોવાનો વિડીયો થયો વાયરલ, સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ
September 28, 2024 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech