આગામી તા.26 થી 28 દરમ્યાન સૌરાષ્ટ્રના કેટલાક ગામોમાં માવઠુ થશે તેવી હવામાન ખાતાની આગાહીથી ખેડુતો ચિંતીત: હવામાં ભેજ 95 ટકા
જામનગરમાં રવિવારે ધાબળીયું વાતાવરણ રહ્યા બાદ આજે વ્હેલી સવારે 5 વાગ્યાથી ગાઢ ધુમ્મસનું વાતાવરણ જોવા મળ્યું હતું, હાઇવે ઉપર વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો, આજે લઘુતમ તાપમાન 12 ડીગ્રીએ પહોંચ્યું હતું, જો કે નવાઇની વાત તો એ છે કે, હવામાં ભેજ 95 ટકા થઇ ગયો હતો, સૌરાષ્ટ્રના ગામડાઓમાં જનજીવન પર ભારે અસર પડી છે ત્યારે ખેડુતો માટે ચિંતાના સમાચાર એ છે કે, આગામી તા.26 થી 28 દરમ્યાન સૌરાષ્ટ્રના કેટલાક ગામોમાં માવઠુ થવાની શકયતા છે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે.
જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાના ગામડાઓમાં ઠંડીએ સા એવું જોર પકડયું છે, હજુ આગામી અઠવાડીયા સુધી ભારે ઠંડીનો માહોલ રહેશે અને કેટલાક જિલ્લામાં તાપમાન 10 ડીગ્રીથી પણ નીચુ પહોંચી જશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે, એટલે કે આગામી દિવસોમાં લોકોએ શીત લહરનો સામનો કરવો પડશે.
કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન 12 ડીગ્રી, મહત્તમ તાપમાન 25.5 ડીગ્રી, હવામાં ભેજ 95 ટકા અને પવનની ગતિ 10 થી 15 કિ.મી. પ્રતિકલાક જોવા મળી છે. ગામડાઓમાં ઠંડીને કારણે બજારો વ્હેલી બંધ થઇ જાય છે તેમજ લોકો હવે શિયાળુ ખેતી તરફ વળ્યા છે, ગામડાઓમાં એસ.ટી. અને ખાનગી બસોમાં પણ મુસાફરોની સંખ્યા ઘટતી જાય છે. આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધે તેવી પુરી શકયતા છે.
હવામાન ખાતુ જણાવે છે કે, જામનગર સહિત રાજયમાં ચાર-ચાર દિવસ સુધી કોલ્ડવેવ રહેવાની પુરી શકયતા છે જેને કારણે તંત્રને પણ એલર્ટ રહેવાની સુચના આપી દેવામાં આવી છે, ગામડાઓમાં ઠંડીને કારણે બજારો વ્હેલી બંધ થઇ જાય છે અને જામનગર શહેરમાં પણ ઠંડીની ભારે અસર જોવા મળી છે. ગઇકાલ સાંજથી કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ જેવા તાલુકા મથકોએ પણ ઠંડીનું જોર વધી રહ્યું છે, જો કે આ વખતે ઠંડી એક મહીનો મોડી શ થઇ છે પણ હકીકત છે. લોકોએ સ્વેટર, મફલર, ટોપી સહારો લીધો છે અને ખાસ કરીને ઠંડીની અસરને કારણે શરદી, ઉધરસ, તાવના પણ કેસો વઘ્યા છે.
ગઇકાલે ભારે ઠંડીને કારણે જે રીતે ભીક્ષુકો હેરાન થયા હતાં તે જોતાં કેટલાક કાર્યકરોએ ભીડભંજન, ડીકેવી કોલેજ, સાતરસ્તા, પ્રદર્શન મેદાન ખાતે સુતેલા ભીક્ષુકોને ધાબળા અને શાલ અર્પણ કયર્િ હતાં, ગરમ ચીજવસ્તુઓનું વેંચાણ વધી ગયું છે તેવી જ રીતે મીઠાઇ બજારમાં સાલમ પાક, અડદીયા, કાટલાનું વેંચાણ સા એવું વઘ્યું છે, જો કે ગયા વર્ષ કરતા ભાવમાં 20 ટકાનો વધારો થયો છે. હાપા માર્કેટીંગ યાર્ડમાં વ્હેલી સવારે માલ વેંચવા આવતાં ખેડુતોને પણ ઠંડીને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો અને ગામડાઓમાં પણ બજારો વ્હેલી બંધ થઇ ગઇ હતી.
ભારે શીત લહરને કારણે શહેર અને જિલ્લામાં કડકડતી ઠંડીથી પશુ-પંખીને પણ અસર થઇ છે, 15 થી 20 કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાઇ રહ્યો છે, ગામડાઓમાં પણ ઠેર-ઠેર તાપણા શ થયા છે. ઠંડીને કારણે જામનગરમાં કાવો, ચા, કોફી, ગાંઠીયા, ભજીયા સહિતની ચીજવસ્તુના વેંચાણમાં ભારે વધારો થયો છે. ખાસ કરીને શિયાળુ પાક માટે ખેતરમાં કામ કરતા મજુરોને પણ ઠંડીની અસર થઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાંચ વર્ષ બાદ ફરી શરૂ થશે કૈલાશ માનસરોવર યાત્રા, જૂનથી ઓગસ્ટ દરમિયાન કરી શકાશે અરજી
April 26, 2025 11:03 PMતાલાલા ગીર મેંગો માર્કેટમાં કેસર કેરીની હરાજીનો શુભારંભ, પ્રથમ દિવસે 1200 રૂપિયા સુધી ભાવ બોલાયા
April 26, 2025 11:02 PMજામજોધપુર VHP દ્વારા પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલી અપાઈ
April 26, 2025 06:56 PMજામનગર : 150 કરોડની છેતરપિંડી કરનાર 3 આરોપી ઝડપાયા
April 26, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech