માયધારના તલાટી-મંત્રીનું શેત્રુંજી નદીમા ડૂબી જતા મોત

  • August 09, 2024 03:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તળાજા તાલુકાના ટીમાણા ગામના યુવાન શેત્રુંજી નદીમાં ન્હાવા ગયા હતા. ત્યારે અચાનક ઉંડાખાડામા ગરકાવ થઈ જતા ડૂબી જવાથી તેનું મૃત્યુ થયુ હતુ. જેના લીધે શોકની કાલીમાં છવાઈ હતી.મૃતક પાલીતાણાના માયધાર ગ્રામ પંચાયતમાં તલાટી-મંત્રી તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું હતી.


પાલીતાણાના માયધાર ગામે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા અને તળાજાના ટીમાણા ગામના રહીશ ભટ્ટ શરદભાઈ  હરગોવિંદભાઈ (ઉ.વ.૩૦) નું શેત્રુંજી નદીના પાણીમા ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતા પોલીસે દોડી જઈ મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટ મોર્ટમ માટે  તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે ૧૦૮ દ્વારા ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી બનાવની વધુ તપાસ હાથ ધરી હતી.  એકની એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી હતી. ઘટનાના પગલે પાલીવાલ સમાજ સહિત સેવાભાવી લોકો હોસ્પિટલ તેમજ સ્થળ પર દોડી આવ્યા હતા. મૃતકના પિતા અને ભાઈ ખેતી કામ કરી જીવન નિર્વાહ ચલાવતા હોવાનું જાણવા મળ્યું હતું..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application