ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા નવો નિયમ લાગુ કરવા જઈ રહી છે. જિઓ, એરટેલ, બીએસએનએલ અને વીઆઈ યુઝર્સ માટે મોટા સમાચાર છે. ટ્રાઈનો નવો નિયમ ઓટીપી ટ્રેસેબિલિટી હશે. આ નિયમના અમલીકરણથી મોબાઈલ ફોન પર આવતા સ્પામ મેસેજને શોધવામાં ઘણી મદદ મળશે. ટ્રાઈ શઆતમાં ૧ ડિસેમ્બરથી આ નિયમ લાગુ કરવા જઈ રહી હતી.
ટેલિકોમ કંપનીઓની માંગ પર ટ્રાઈએ સેવા પ્રદાતાઓને ઓટીપી ટ્રેસેબિલિટી ટેકનોલોજી લાગુ કરવા માટે ૧૦ દિવસનો સમય આપ્યો હતો, જે હવે પૂર્ણ થવા જઈ રહ્યો છે. પહેલા આ નિયમની સમયમર્યાદા ૩૧ ઓકટોબર નક્કી કરવામાં આવી હતી પરંતુ બાદમાં તેને ૩૦ નવેમ્બર સુધી લંબાવી દેવામાં આવી હતી.
ટ્રેસેબિલિટી સિસ્ટમના અભાવને કારણે ઓટીપી સંબંધિત અથવા અન્ય વ્યવસાયિક સંદેશાઓ શોધી શકાતા નથી. સ્કેમર્સ અને હેકર્સ આનો ફાયદો ઉઠાવીને લોકોને છેતરપિંડીનો શિકાર બનાવે છે. આને ધ્યાનમાં રાખીને ટેલિકોમ રેગ્યુલેટરે વિવિધ સેવા પ્રદાતાઓ તરફથી જથ્થાબધં મોકલવામાં આવતા કોમર્શિયલ સંદેશાઓના ક્રોતને ટ્રેસ કરવા માટે ટેકનોલોજીનો અમલ કરવા સૂચના આપી છે.
ટ્રાઈના ઓટીપી ટ્રેસબિલિટી નિયમના અમલ પછી નકલી એસએમએસ અને નકલી કોલ્સને સરળતાથી ટ્રેક કરી શકાય છે.
અગાઉ એવી પણ ચર્ચા કરવામાં આવી હતી કે ટ્રેસેબિલિટી નિયમના અમલીકરણને કારણે બેંકિંગ જેવા મહત્વપૂર્ણ હેતુઓ માટેના ઓટીટી સંદેશાઓને ડિલિવર કરવામાં સમય લાગી શકે છે પરંતુ પછીથી ટ્રાઇ દ્રારા એવું કહેવામાં આવ્યું હતું કે અમલીકરણ સાથે નવા નિયમોમાં, ઓટીપી કોઈપણ વિલબં વિના ઉપલબ્ધ થશે.
ટ્રેસિબિલિટી લાગુ થયા પછી જે સંદેશાઓ નોંધાયેલા નથી તે બ્લોક કરવામાં આવશે. આનો મોટો ફાયદો એ થશે કે યુઝર્સ પ્રમોશનલ મેસેજને સરળતાથી ઓળખી શકશે. ટ્રાઈ અનુસાર ૨૭,૦૦૦ થી વધુ મોટી સંસ્થાઓએ આ માટે નોંધણી કરાવી છે. આ સાથે રજીસ્ટ્રેશનની પ્રક્રિયાને પણ ઝડપી બનાવવામાં આવી રહી છે. ટ્રાઈનો આ નિયમ સુરક્ષિત અને પારદર્શક સંચારની દિશામાં મોટો ફેરફાર લાવી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયામાં સરકારી વસાહતમાં તસ્કરોનો હાથફેરો
February 24, 2025 11:52 AMએર ટેકસીની ટ્રાયલ માટે અમદાવાદ રિવરફ્રન્ટ, માંડવી સાઈટની પસંદગી
February 24, 2025 11:51 AMદુષ્કર્મનો ભોગ બનેલી ગોંડલ પંથકની યુવતીની સીએમ આવાસે ઉપવાસ આંદોલનની ચીમકી
February 24, 2025 11:49 AMભવનાથ મેળામાં રાત્રે ભીડ બેકાબૂ બનતા ચકડોળ બંધ કરાયા
February 24, 2025 11:48 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech