ખોડીયાર કોલોનીની રેસ્ટોરન્ટમાં વેઇટરનું શંકાસ્પદ મોત : હત્યાની પ્રબળ આશંકા

  • November 10, 2023 01:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોલીસે સીસી ફુટેજ કબ્જે લીધા : યુવકના મૃતદેહને પીએમમાં ખસેડાયો : રહસ્યના આટાપાટા : સઘન તપાસ-પુછપરછ

જામનગરની ખોડીયાર કોલોનીમાં આવેલા રાધે રેસ્ટોરન્ટમાં વેઇટરનું શંકાસ્પદ મૃૃત્યુ થતા પોલીસ ટુકડી દોડી ગઇ હતી અને મૃતદેહને પીએમ માટે લઇ જવામાં આવ્યો છે, જયાં પીએમ શોર્ટનોટમાં કારણ સ્પષ્ટ થશે, હાલ રહસ્યના આટાપાટા સર્જતા આ બનાવે ભારે ચકચાર જગાવી છે અને સુત્રો દ્વારા હત્યાની આશંકા દર્શાવવામાં આવી છે.
જાણવા મળતી વિગત મુજબ મુળ ખેડા જીલ્લાના વતની વિનીતકુમાર પટેલ (ઉ.વ.૨૬) નામનો યુવાન ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલ રાધે રેસ્ટોરન્ટમાં વેઇટરનું કામ કરે છે દરમ્યાન રાત્રીના કોઇપણ સુમારે શંકાસ્પદ મોત થયુ હતું અને વહેલી સવારે આ અંગેન જાણ થતા સીટી-સી ડીવીઝન પોલીસનો કાફલો દોડી ગયો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી તથા યુવકના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો.
પોલીસે રેસ્ટોરન્ટ અને આજુબાજુના સીસીટીવ ચેક કર્યા હતા અને ફુટેજ મેળવ્યા હોવાની વિગતો મળી છે, ગળાના ભાગે નિશાન હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ જાણવા મળતા આ રહસ્યમય બનાવમાં હત્યાની આશંકા દશાર્ર્વવામાં આવી રહી છે, બીજી બાજુ પીએમ રીપોર્ટમાં વધુ વિગતો સ્પષ્ટ થશે, સીટી-સી પીઆઇ ચૌધરીના માગદર્શન હેઠળ પોલીસ ટુકડીઓ દ્વારા પુછપરછ અને ફુટેજનું નિરીક્ષણ કરવામાં આવી રહયું છે જે તપાસના અંતે આ શંકાસ્પદ મૃત્યુના બનાવ પરથી પડદો ઉંચકાશે હાલ બનાવના પગલે ભારે ચકચાર ફેલાઇ જવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application