જામ્યુકોમાં ગેરહાજર રહેતા કર્મચારીઓ માટે મ્યુ. કમિશ્નરે કરેલું ઓચિંતુ ચેકીંગ: કેટલાકના ખુલાસા પૂછાશે

  • May 15, 2023 01:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાનગરપાલિકામાં કેટલાક સમયથી પોપાબાઇનું રાજ ચાલે છે, સવારે ૧૦.૩૦ ને બદલે ૧૧.૩૦ સુધી મોટાભાગની કચેરીઓમાં કામકાજ થતાં નથી, એટલું જ નહીં રીસેષ પછી લગભગ ૪.૧પ સુધી કર્મચારીઓ ટેબલ પર બેસતા ન હોવાની થોકબંધ ફરિયાદો મ્યુ. કમિશ્નર દિનેશ મોદીને મળી હતી, આજે તેઓએ ઓચિંતા ડીએમસી ભાવેશ જાનીને સાથે રાખીને મોટાભાગની બ્રાંચોનું ચેકીંગ કર્યું હતું, જેમાં કેટલાક કર્મચારીઓ ગેરહાજર હોવાનું બહાર આવ્યું છે અને તમામ સામે કડક પગલા લેવામાં આવશે તેમ મ્યુ. કમિશ્નરે આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું છે, આજે વિવિધ વિભાગોના વડા સાથે વાતચીત કરીને લોકોની સમસ્યા તાત્કાલિક ઉકેલવા આદેશ આપ્યો હતો. આમ નવનિયુક્ત કમિશ્નરે આજે મહાપાલિકામાં કેટલાક વિભાગોમાં લટાર મારતા ગુટલીબાજ કર્મચારીઓમાં ફફડાટની લાગણી જન્મી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application