સુરેશ ઓબેરોયે ઐશ્વર્યા રાય અને વિવેકના સંબંધોને લઇ મોટું રહસ્ય જાહેર કર્યું.સુરેશ ઓબેરોયે ઐશ્વર્યા રાય અને વિવેકના સંબંધોને લઇ મોટું રહસ્ય જાહેર કર્યું. તેને કહ્યું કે જયારે હું સલમાન ને જોઉં તો મને માં થાય છે. તે ખુબ સમજદાર છે. જો કે આજે પણ અમિતાભ મારા મિત્ર નથી.
ફિલ્મ ‘એનિમલ’ આ દિવસોમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મમાં રણબીર કપૂરના દાદા સુરેશ ઓબેરોયે પણ મહત્વની ભૂમિકા ભજવી છે. આવી સ્થિતિમાં તેમણે તાજેતરમાં એક ઈન્ટરવ્યુ આપ્યો હતો. જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેમણે પોતાના પુત્ર વિવેક ઓબેરોય અને ઐશ્વર્યાના સંબંધો વિશે ખુલીને વાત કરી છે. આ ઇન્ટરવ્યૂમાં તેમણે કેટલાક રહસ્યો પરથી પડદો ઉચક્યો છે. સુરેશ ઓબેરોયે કહ્યું,‘મને ઘણી બધી બાબતોની ખબર નહોતી. વિવેકે ક્યારેય મારી સાથે કંઈપણ શેર કર્યું નથી. રામ ગોપાલ વર્માએ મને કહ્યું હતું અને તે પહેલાં બીજા કોઈએ મને કહ્યું હતું. ત્યારે મેં વિવેકને કહ્યું કે આ બધું ના કરો’.
અમિતાભ મારા મિત્ર નથી
સુરેશ ઓબેરોયે એ પણ જણાવ્યું કે બિગ બી સાથે તેમના કેવા સંબંધો છે. તેમણે કહ્યું કે, ‘હું ક્યારેય તેમનો મિત્ર રહ્યો નથી. અમે માત્ર કો-સ્ટાર છીએ. અમારી પાસે માત્ર ઇન્ડસ્ટ્રવાળો સંબંધો છે. મિસ્ટર બચ્ચને મને તેમના જન્મદિવસની પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું. અમે જ્યારે પણ મળીએ છીએ ત્યારે સારી રીતે મળીએ છીએ.
સલમાન ખાન ખૂબ જ સમજદાર છે
સલમાન અને તેમના પિતા સલીમ સાથેના સંબંધો અંગે સુરેશ ઓબેરોયે કહ્યું, ‘હું ત્યારે પણ વિવેકના કેસને લઈને બહુ ચિંતિત નહોતો અને આજે પણ નથી. આજે પણ અમે (સલમાન, સલીમ અને હું) ખૂબ સારી રીતે મળીએ છીએ. સલમાન જ્યારે પણ મને મળે છે ત્યારે તે તેની સિગારેટ સંતાડી નાંખે છે અને પછી મારી સાથે વાત કરે છે. આ મારા માટે તેનું સન્માન છે. મેં હંમેશા વિવેકને સલીમ જીના પગ સ્પર્શ કરવાનું કહ્યું છે. હું સલીમભાઈને ખૂબ માન આપું છું. વસ્તુઓ થાય છે, પરંતુ મારા સંબંધો સારા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application'ટાઈટેનિક' અને 'અવતાર'ના ઓસ્કાર વિનર મેકરનું 63 વર્ષની વયે નિધન
July 07, 2024 11:22 AMસુરતમાં ઇમારત ધરાશાયી થયાની ઘટનામાં 7ના મોત, આખી રાત ચાલ્યું સર્ચ ઓપરેશન
July 07, 2024 10:58 AM4 સાથીઓના મોત બાદ આતંકવાદીઓએ રાજૌરીમાં આર્મી કેમ્પ પર કર્યો હુમલો, એક જવાન ઘાયલ
July 07, 2024 10:43 AMસુરતમાં મોટી દુર્ઘટના, 6 માળની ઇમારત પડી, 7 લોકોના મોત
July 07, 2024 08:51 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech