સુપ્રીમ કોર્ટે કોલેજોમાં જાતિ ભેદભાવને રોકવા માટે નક્કર વ્યવસ્થા વિકસાવવાની વાત કરી છે. કોર્ટે નવા નિયમો ન બનાવવા બદલ યુજીસીને પણ ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે શું તમે આટલા દિવસ સુધી સૂતા હતા તો નિયમો ન બન્યા?
જ્ઞાતિના ભેદભાવને સંવેદનશીલ મુદ્દો ગણાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તે દેશની શૈક્ષણિક સંસ્થાઓમાં તેનો સામનો કરવા માટે અસરકારક વ્યવસ્થા બનાવશે. જસ્ટિસ સૂર્યકાંત અને ઉજ્જવલ ભુયાનની બેન્ચે કેન્દ્રીય, રાજ્ય, ખાનગી અને ડીમ્ડ યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ સામે જાતિ આધારિત ભેદભાવ ન થાય તે માટે યુજીસીને ડ્રાફ્ટ નિયમોને સૂચિત કરવા નિર્દેશ આપ્યો હતો. બેન્ચે યુજીસીને યુજીસી ઇક્વાલિટી રેગ્યુલેશન્સ 2012ના પાલનમાં સમાન તક સેલની સ્થાપ્ના કરી હોય તેવી સંસ્થાઓની સંખ્યાનો ડેટા આપવાનો નિર્દેશ આપ્યો હતો.
બેન્ચે જણાવ્યું હતું કે, અમે આ સંવેદનશીલ મુદ્દા પ્રત્યે સમાન રીતે સભાન છીએ. અમે કંઈક કરીશું. 2012ના નિયમોને વાસ્તવિકતામાં કેવી રીતે લાગુ કરવામાં આવે છે તે જોવા માટે અમારે કેટલીક અસરકારક પદ્ધતિઓ શોધવી પડશે. બેન્ચે આ મુદ્દે કેન્દ્ર પાસેથી જવાબ માંગ્યો હતો અને યુજીસીને તમામ યુનિવર્સિટીઓ અને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ વચ્ચે આ પ્રકારના ભેદભાવની ફરિયાદો અને તેના પર લેવાયેલા પગલાં વિશે છ સપ્તાહની અંદર માહિતી રજૂ કરવા જણાવ્યું હતું.
રોહિત વેમુલા હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીમાં પીએચડી સ્કોલર હતા જેમણે જાતિ ભેદભાવનો સામનો કયર્િ પછી 17 જાન્યુઆરી 2016 ના રોજ આત્મહત્યા કરી હતી. જ્યારે ટીએન ટોપીવાલા નેશનલ મેડિકલ કોલેજની વિદ્યાર્થીની તડવીનું 22 મે, 2019 ના રોજ મૃત્યુ થયું હતું, કારણ કે તેણીની કોલેજમાં ત્રણ ડોકટરો દ્વારા તેણી સાથે કથિત રીતે ભેદભાવ કરવામાં આવ્યો હતો. વરિષ્ઠ વકીલ ઈન્દિરા જયસિંહે કોર્ટને જણાવ્યું કે 2004થી અત્યાર સુધીમાં 50થી વધુ વિદ્યાર્થીઓ જાતિના ભેદભાવને કારણે આત્મહત્યા કરી ચૂક્યા છે. જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યું, 2019થી આ અરજી પર કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. હવેથી, તેને નિયમિત રીતે સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવશે. યુજીસી દ્વારા નવા નિયમો તૈયાર કરવામાં આવ્યા છે. આને એક મહિનાની અંદર વેબસાઈટ પર મુકવા અને લોકો પાસેથી સૂચનો અને વાંધાઓ મંગાવવા સૂચના આપવામાં આવી છે. ખંડપીઠે વિલંબ માટે યુજીસીને પ્રશ્ન કર્યો અને કહ્યું કે તે આટલા લાંબા સમયથી ઊંઘી રહી હતી કે તે નવા નિયમો બનાવી શકતી નથી. તેમણે કહ્યું કે એક મહિનાની અંદર શક્ય તેટલી વહેલી તકે સૂચિત થવું જોઈએ. 2019માં દાખલ કરવામાં આવેલી પીઆઈએલમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે દેશભરની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં જાતિગત ભેદભાવ ચાલુ છે.
યુજીસીના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે એક સમિતિની રચના કરવામાં આવી હતી, જેણે ભેદભાવ રોકવા માટે સૂચનો આપ્યા હતા. આ ભલામણોના આધારે નવા નિયમોનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટને લોકો પાસેથી સૂચનો મેળવવા માટે ટૂંક સમયમાં વેબસાઈટ પર મુકવામાં આવશે. આ સિવાય નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ (ગઅઅઈ)નો જવાબ પણ માંગવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech