આજે શહેરી ગરીબી નાબૂદીના કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે, મફતની યોજનાઓને કારણે લોકો કામ ટાળી રહ્યા છે. લોકોને કોઈ કામ કર્યા વિના પૈસા મળી રહ્યા છે. શહેરી વિસ્તારોમાં બેઘર લોકો માટે આશ્રયના અધિકાર સંબંધિત અરજીની સુનાવણી કરતી વખતે, કોર્ટે કહ્યું કે ચૂંટણી પહેલા મફત ભેટોની જાહેરાતોથી લોકો કામ કરવાનું ટાળે છે. કારણ કે તેમને મફત રાશન અને પૈસા મળે છે.
જસ્ટિસ બીઆર ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે જણાવ્યું હતું કે, કમનસીબે આ મફ્ત સુવિધાઓને કારણે લોકો કામ કરવાથી દૂર રહે છે. તેમને મફતમાં રાશન મળી રહ્યું છે. કોઈપણ કામ કર્યા વિના પૈસા મેળવવા. અમે લોકો પ્રત્યેની તમારી ચિંતાઓ સમજીએ છીએ, પરંતુ શું લોકોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા અને તેમને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા દેવાનું વધુ સારું નહીં હોય?
દરમિયાન, એટર્ની જનરલ આર. વેંકટરામણીએ બેન્ચને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર શહેરી ગરીબી નાબૂદી મિશનને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે. બેન્ચે એટર્ની જનરલને કેન્દ્ર પાસેથી ચકાસણી કરવા કહ્યું કે, શહેરી ગરીબી નાબૂદી મિશનને અસરકારક બનવામાં કેટલો સમય લાગશે. આ કેસની સુનાવણી હવે છ અઠવાડિયા પછી થશે.
ખંડપીઠે વધુમાં કહ્યું હતું કે, 'અમે તેમના પ્રત્યેની તમારી ચિંતાને સમજીએ છીએ, પરંતુ શું એ વધુ સારું નહીં રહે કે તેઓ પણ સમાજની મુખ્યધારામાં જોડાય અને તેમને પણ દેશના વિકાસમાં યોગદાન આપવાની તક મળે?' એટર્ની જનરલ આર. વેંકટરમણીએ બેન્ચને જણાવ્યું હતું કે, 'કેન્દ્ર સરકાર શહેરી ગરીબી નાબૂદી મિશનને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે. જેના અંતર્ગત શહેરી વિસ્તારોમાં બેઘર થયેલા લોકોને આશ્રય આપવાની વ્યવસ્થા સહિત વિવિધ મુદ્દાઓનું સમાધાન કરવામાં આવશે.' ખંડપીઠે એટર્ની જનરલને કેન્દ્ર સરકાર પાસે શહેરી ગરીબી નાબૂદી મિશનને લાગુ કરવામાં કેટલો સમય લાગશે તેનો જવાબ માંગવાનો નિર્દેશ આપ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઓસ્ટ્રેલિયાનો ઐતિહાસિક વિજય: ચેમ્પિયન્સ ટ્રોફીમાં સર્વોચ્ચ લક્ષ્યનો પીછો કરીને ઇંગ્લેન્ડને હરાવ્યું
February 23, 2025 01:06 AMજામનગર: ખોડીયાર કોલોનીમાં થઈ ઘરફોડ ચોરી...જાણો શું બોલ્યા ડીવાયએસપી
February 22, 2025 06:49 PMજામનગરની જીજી હોસ્પિટલમાં લુખ્ખા તત્વોના આતંકની ઘટનાના સીસીટીવી વિડીયો સામે આવ્યા
February 22, 2025 06:47 PMજામનગરમાં દિગજામ સર્કલ નજીક આંબેડકર બ્રિજ પર બે રીક્ષા વચ્ચે અકસ્માતની ઘટના
February 22, 2025 06:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech