જેલોમાં જાતિગત ભેદભાવ તાત્કાલિક બધં કરવા સુપ્રીમ કોર્ટ દ્રારા આદેશ

  • October 03, 2024 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જેલમાં જાતિના આધારે કેદીઓ સાથે ભેદભાવના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સીજેઆઈ ડીવાય ચંદ્રચુડે આકરી ટિપ્પણી કરી હતી. ચીફ જસ્ટિસે કહ્યું બંધારણ સમાનતાનો અધિકાર આપે છે, અસ્પૃશ્યતા નાબૂદ થઇ છે પરંતુ બ્રિટિશ કાળમાં બનેલા કાયદાઓની અસર હજુ પણ છે. અંગ્રેજોએ તેમના કાયદામાં ભારતની જાતિ પ્રથાને સ્થાન આપ્યું હતું. અંગ્રેજોએ કેટલીક જનજાતિઓને અપરાધી જાહેર કરી હતી. સ્વતત્રં ભારતમાં તે જાતિઓને તે જ ધ્ષ્ટ્રિએ જોવું ખોટું છે.
સીજેઆઈ ચંદ્રચુડે વધુમાં કહ્યું, અમને કહેવામાં આવ્યું હતું કે જેલમાં ઉચ્ચ જાતિના કેદીઓને રસોઈ બનાવવા જેવી નોકરી આપવામાં આવે છે. તેઓને
આ માટે યોગ્ય ગણવામાં આવે છે. આ સ્પષ્ટ્રપણે જાતિ આધારિત ભેદભાવ છે. કેટલીક જાતિઓને સફાઈને લાયક સમજીને તેમને એ જ કામ આપવામાં આવે છે. આ બધું ખોટું છે અને ન થવું જોઈએ.
સીજેઆઈ એ વધુમાં કહ્યું કે ડો. આંબેડકરે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈપણ વર્ગની સામાજિક–આર્થિક સ્થિતિ તેના જુલમનો આધાર બની શકે નહીં. ન તો ભૂતકાળમાં અમુક આદિવાસીઓને ગુનેગાર કહેવાનું યોગ્ય હતું અને ન તો આજે તેમને રીઢા ગુનેગારોની શ્રેણીમાં મૂકવું યોગ્ય છે. અમે નિર્દેશ આપી રહ્યા છીએ કે દરેક રાય ૩ મહિનામાં તેની જેલ મેન્યુઅલમાં સુધારો કરે. કેન્દ્ર સરકારે મોડેલ જેલ મેન્યુઅલમાં લખવું જોઈએ કે જેલમાં જાતિના આધારે ભેદભાવ ન થઈ શકે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application