નાસાના ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બેરી વિલમોર લગભગ દોઢ મહિનાથી અવકાશમાં અટવાયેલા છે. બોઈંગ સ્ટારલાઈનરમાં ખામીને કારણે બંને અવકાશયાત્રીઓ હજુ સુધી પરત ફરી શકયા નથી. દરમિયાન, નાસાએ માહિતી આપી હતી કે બંને અવકાશયાત્રીઓ કયારે પરત ફરશે તેની કોઈ તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી.
બંને યાત્રીઓ જૂનના મધ્યમાં પાછા ફરવાના હતા, પરંતુ બોઈંગની નવી સ્ટારલાઈનર કેપ્સ્યુલના થ્રસ્ટરમાં હિલિયમ લીક થવાને કારણે નાસા અને બોઈંગે તેમને વધુ સમય સુધી ત્યાં રાખવા પડા હતા. નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ મેનેજર સ્ટીવ સ્ટિચે કહ્યું કે બેકઅપ વિકલ્પોની શોધ કરવામાં આવી રહી છે. ઇજનેરોએ ગયા અઠવાડિયે ન્યૂ મેકિસકોના રણમાં ફાજલ થ્રસ્ટર પર પરીક્ષણો પૂર્ણ કર્યા અને ડોકીંગ દરમિયાન શું ખોટું થયું તે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. આશા છે કે થોડા દિવસોમાં સારા સમાચાર આવશે.
નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ મેનેજર સ્ટીવ સ્ટિચે કહ્યું કે હાલ તેઓ અવકાશયાત્રીઓની પરત ફરવાની તારીખ જાહેર કરવા તૈયાર નથી. ઇજનેરોએ ગયા અઠવાડિયે ન્યૂ મેકિસકોના રણમાં સ્પેર થ્રસ્ટર પર પરીક્ષણ પૂર્ણ કયુ હતું અને ડોકીંગ દરમિયાન શું ખોટું થયું હતું તે સમજવાનો પ્રયાસ કર્યેા હતો અને પૃથ્વી પર વાપસીની તૈયારી કરી હતી. લિટઓફના એક દિવસ પછી, જૂન ૬ ના રોજ કેપ્સ્યુલ સ્પેસ સ્ટેશનની નજીક આવી ત્યારે પાંચ થ્રસ્ટર નિષ્ફળ ગયા. ચારને ફરીથી સક્રિય કરવામાં આવ્યા છે. આ બોઈંગની પ્રથમ ટેસ્ટ લાઇટ હતી જેમાં ક્રૂ સવાર હતા. સ્પેસએકસ ૨૦૨૦ થી અવકાશયાત્રીઓને લઈ જઈ રહ્યું છે
સુનિતા વિલિયમ્સે અંતરિક્ષમાં છોડ ઉગાડાં
સુનિતા વિલિયમ્સ અને તેના પાર્ટનર બૂચ વિલ્મોર અવકાશમાં બગીચો બનાવવામાં વ્યસ્ત છે, સાથે તેમને એ પણ સંશોધન કયુ કે માઇક્રોગ્રેવિટીમાં છોડ કેવી રીતે વધે? સુનીતા વિલિયમ્સનું ત્રીજું અંતરિક્ષ મિશન છે. આ સમય દરમિયાન તેણે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં છોડ ઉગાડા છે. તે 'બગીચો' બનાવવામાં વ્યસ્ત છે. આ સંદર્ભમાં, તેમણે ઘણા પ્રયોગો કર્યા જે એ સમજવામાં મહત્વપૂર્ણ છે કે છોડ કેવી રીતે વધે છે અને માઇક્રોગ્રેવિટીમાં કેવી રીતે પ્રતિક્રિયા આપે છે ભવિષ્યના અવકાશ મિશન માટે આ માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગીરમાં એડવાન્સ બુકિંગ માટે આ સાઇટનો ઉપયોગ કરજો...બાકી થઈ જશે ખાતું ખાલી...જાણો વિગત
September 20, 2024 08:01 PMતિરુપતિ બાલાજીમાં 50 વર્ષ ઘી સપ્લાય કંપનીએ શા માટે કર્યો ઇનકાર, કઈ કંપનીને મળ્યો નવો કોન્ટ્રાક્ટ
September 20, 2024 06:29 PMશું છે બીફ ટોલો? જેનો ઉપયોગ તિરુપતિ બાલાજીના પ્રસાદમાં થતો હતો
September 20, 2024 06:22 PMતિરુપતિ બાલાજી પ્રસાદના લાડુ કેવી રીતે બનાવવામાં આવે છે? દર વર્ષે 500 કરોડની કમાણી
September 20, 2024 06:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech