મવડી પાસે બાપાસીતારામ ચોક નજીક સોરઠીયા પાર્કમાં રહેતા ૩૦ વર્ષના પટેલ કારખાનેદાર યુવાને આજી ડેમમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. કારખાનેદાર યુવાન સોમવારે સવારે ઘરેથી કારખાને જવા માટે નીકળ્યો હતો.બાદમાં તેણે પરિવારજનોને હત્પં ડેમમાં પડવા જાવ છું તેવો મેસેજ કર્યેા હતો. જેથી પરિવારજનો તેની શોધખોળ કરી રહ્યા હતા. દરમિયાન ગઇકાલે સમીસાંજના અહીં આજીડેમમાંથી યુવાનોનો મૃતદેહ મળી આવ્યો હતો.
જાણવા મળતી વિગતો મુજબ, મવડી વિસ્તારમાં બાપા સીતારામ ચોક પાસે સોરઠીયા પાર્કમાં રહેતા અંકિતભાઈ ગોબરભાઇ કામાણી(ઉ.વ ૩૦) નામનો પટેલ કારખાનેદાર યુવાન ગઈકાલ સવારે ઘરેથી ટિફિન લઈ કારખાને જવા માટે નીકળ્યો હતો. બાદમાં તેણે પોતાના અંગત પરિવારજનોને હુ ડેમમાં પડવા જાઉં છું તેવો મેસેજ કર્યેા હતો. જેથી પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને યુવાનની શોધખોળ શરૂ કરી હતી તેમજ તાલુકા પોલીસમાં ગૂમ નોંધ પણ કરાવી હતી.
સોમવારે આખો દિવસ યુવાની શોધખોળ કર્યા બાદ ગઇકાલે ફરી યુવાનના પરિવારજનો તેની શોધખોળ કરતા હતા.ફાયર બ્રિગેડના સ્ટાફે પણ પાંચ કલાક જહેમત ઉઠાવ્યા બાદ યુવાનનું એકટીવા મળી આવ્યું હતું. બાદમાં આજી ડેમમાં જૈન દેરાસર પાસે યુવાનની લાશ પડી હોવાનું સ્થાનિકે ફાયર બ્રિગેડને જણાવતા ફાયર બ્રિગેડની ટીમે તાકીદે અહીં પહોંચી કારખાનેદાર યુવાન અંકિત કમાણીની લાશ ડેમમાંથી બહાર કાઢી હતી. બનાવના પગલે આજીડેમ પોલીસ મથકના એએસઆઇ મહેશગીરી તથા સ્ટાફ અહીં પહોંચી ગયો હતો અને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી જરી કાર્યવાહી કરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, કારખાનેદાર યુવાન અંકિત બે ભાઈના પરિવારમાં નાનો હતો તેને સંતાનમાં એક પુત્ર છે. આ પરિવાર મૂળ લોધિકાનો વતની છે. પરિવારજનોની પૂછપરછ કરતા યુવાનને કોઈ તકલીફ ન હોવાનું અને તેણે કયાં કારણોસર આ પગલું ભયુ તે અંગે પરિવારજનો અજાણ હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે કારખાનેદાર યુવાનના આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech