ગુજરાત બોર્ડ દ્રારા પૂરક પરીક્ષાને લઈ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી જેમાં ધોરણ ધોરણ ૧૦ માં ત્રણ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં બે વિષયની વિધાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે યારે ધોરણ ૧૨ સાયન્સમાં પણ નાપાસ થયા હોય તે તમામ વિષયની પરીક્ષા તેમજ વિધાર્થીઓને જો બધા વિષયની પરીક્ષા ફરીથી આપવી હોય તો તે પણ આપી શકશે. આ નવો નિયમ આ વર્ષથી જ લાગુ કરવામાં આવશે તેવો બોર્ડ દ્રારા નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
ખાસ કરીને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓ બધી જ પરીક્ષા ફરીથી આપી શકશે અને બંને પરીક્ષામાં જે પરિણામ ઐંચું હશે તેને જ ધ્યાને લેવાશે. બોર્ડના આ નિર્ણયના લીધે ખાસ કરીને ધોરણ ૧૨ ના વિધાર્થીઓને ફાયદો થશે .ગુજરાત બોર્ડની પરીક્ષાના પરિણામ બાદ પૂરક પરીક્ષા પણ વહેલી લેવાય તેવા પ્રયાસો ચાલી રહ્યા છે. અત્યાર સુધીમાં જે વિધાર્થીઓ એક કે બે વિષયમાં નાપાસ થયા હોય તો બે વિષય સુધીની પુરક પરીક્ષા આપી શકતા હતા પરંતુ હવે નવા મહત્વપૂર્ણ નિર્ણય બાદ બેથી વધુ વિષયની પરીક્ષામાં બેસી શકશે.
આ નિર્ણય ખાસ કરીને ધોરણ ૧૨ સાયન્સના વિધાર્થીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થયો છે. વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓ જેમાં એ ગ્રુપ ના વિધાર્થીઓ માટે એન્જિનિયરિંગની જેઇઈ, બી ગ્રુપના વિધાર્થીઓ માટે નીટ અને વિધાર્થીઓ ગુજકેટ સહિત અનેક પરીક્ષાઓ આપતા હોય છે જેના લીધે ઘણી વખત બોર્ડની પરીક્ષા માટે પૂરતો ટાઈમ મળતો નથી .ભૂતકાળમાં પણ એવી ઘટનાઓ બની છે કે જેમાં વિધાર્થીઓ એન્જિનિયરિંગ કે મેડિકલની પ્રવેશ પરીક્ષામાં તો પણ થઈ ચૂકયા હોય પરંતુ સમય પૂરતો ન મળતો હોવાના લીધે બોર્ડની પરીક્ષામાં ઓછા માકર્સ આવતા હોય છે.આથી ધોરણ ૧૨ સાયન્સના વિધાર્થીઓ માટે આ નિર્ણય ના લીધે તેઓ પ્રથમ રાઉન્ડની પરીક્ષા બરાબર નહીં આપી શકયા હોય તો તેમના માટે બીજી તક મળશે જો કે આ બંને પરીક્ષામાં જે પરિણામ ઐંચું હશે તેને જ ધ્યાનમાં લેવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતમારા બાળકને તંદુરસ્ત રાખવા માંગો છો? તો કરાવો આ કસરત
May 09, 2024 01:54 PMટેક્સ ભરવાથી બચવા માંગો છો? તો જાણો આ ટીપ્સ
May 09, 2024 01:45 PMજામનગરની સરકારી જી જી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી
May 09, 2024 01:09 PMધો.૧૨ કોમર્સમાં સરસ્વતી હાઈસ્કૂલની ૧૦ વિર્દ્યાનિીઓને એ-વન ગ્રેડ
May 09, 2024 12:45 PMજામનગર: અથાણા કવિન મહિલા! પતિનો ધંધો ભાંગ્યા બાદ પત્નીએ શરૂ કર્યો અથાણાનો વ્યવસાય
May 09, 2024 12:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech