ગુરુકુળમાં છાત્રોએ શૌચાલય જાતે સાફ કરે: આઈએએસઅધિકારીની સૂચનાથી હોબાળો

  • June 03, 2025 10:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
તેલંગાણા સોશિયલ વેલ્ફેર રેસિડેન્શિયલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂશન્સ સોસાયટીના સેક્રેટરી ડૉ. અલાગુ વર્ષિણી એક ઓડિયો ક્લિપને લઈને વિવાદમાં ફસાઈ ગયા છે જેમાં તેમણે ગુરુકુળ શાળાઓના વિદ્યાર્થીઓને શૌચાલય અને હોસ્ટેલના રૂમ સાફ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ ઘટના લગભગ એક અઠવાડિયા જૂની હોવાનું કહેવાય છે.તેલંગાણામાં એસસી ગુરુકુળ શાળાઓના વિદ્યાર્થીઓ વિરુદ્ધ કથિત વાંધાજનક ટિપ્પણીનો વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગે આ મુદ્દાની નોંધ લીધી છે અને રાજ્યના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશકને નોટિસ જારી કરી છે. આઈએએસ અધિકારી ડૉ. વીએસ અલાગુ વર્ષિણી સામે કરવામાં આવેલી ફરિયાદ પર પંચે 15 દિવસમાં કાર્યવાહી અહેવાલ માંગ્યો છે.


ઓડિયોમાં ડૉ. અલાગુ વર્ષિણી કહે છે, કે જપ વિદ્યાર્થીઓ રૂમ સાફ કરે છે . તેઓ પોતાના શૌચાલય કેમ સાફ કરી શકતા નથી? આ વિદ્યાર્થીઓ વૈભવી પરિવારોમાંથી નથી જ્યાં તેઓ જાય અને બેસતા જ ટેબલ પર ખોરાક આવી જાય. તેમણે એમ પણ કહ્યું કે વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવવા મહત્વપૂર્ણ છે, કારણ કે શાળા છોડ્યા પછી તેમને તેમના રોજિંદા કામકાજ જાતે કરવા પડશે.


વિપક્ષે સખત વાંધો ઉઠાવ્યો

આ નિવેદન પર તીવ્ર પ્રતિક્રિયા આપતા, ભારત રાષ્ટ્ર સમિતિના નેતા અને ભૂતપૂર્વ સેક્રેટરી ડૉ. આર. એસ. પ્રવીણ કુમારે મુખ્યમંત્રીને પૂછ્યું, "શું તમારા બાળકો પણ જે શાળામાં અભ્યાસ કરે છે ત્યાં બાથરૂમ ધોવે છે?" તેમણે આરોપ લગાવ્યો કે આ આદેશ દલિત વિદ્યાર્થીઓ સામે ભેદભાવપૂર્ણ છે અને અધિકારીને બરતરફ કરવાની માંગ કરી.તો બીજી તરફ બીઆરએસ એમએલસી અને ભૂતપૂર્વ સાંસદ કાલવકુંતલા કવિતાએ ટ્વિટર પર ઓડિયો ક્લિપ શેર કરીને કોંગ્રેસ સરકાર પર પ્રહારો કર્યા. "આ અધિકારીના વર્તનમાં કોંગ્રેસ સરકારનું ગરીબ વિરોધી વલણ સ્પષ્ટ દેખાય છે," તેમણે લખ્યું. તેમણે આરોપ લગાવ્યો કે બીઆરએસ શાસન દરમિયાન, દરેક શાળાને સફાઈ કર્મચારીઓની કામચલાઉ નિમણૂક માટે દર મહિને 40,000 રૂપિયા આપવામાં આવતા હતા, જે કોંગ્રેસ સરકારે મે મહિનાથી બંધ કરી દીધા છે.કવિતાએ એમ પણ કહ્યું કે રાજ્યની 240 ગુરુકુળ શાળાઓમાંથી સહાયક વોર્ડનને દૂર કરવામાં આવ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓ રસોડા અને સફાઈની જવાબદારી સંભાળી રહ્યા છે. તેમણે તેને બાળકોના અધિકારો અને ગૌરવની વિરુદ્ધ ગણાવ્યું અને કહ્યું કે આ વલણ "જાતિ ભેદભાવ અને શોષણ" ને પ્રોત્સાહન આપે છે.


મારા નિવેદનમાં રાજકારણ ન લાવો:આઈએએસ અધિકારીની સ્પષ્ટતા

વિવાદ વધ્યા પછી, બીજા એક ઓડિયોમાં, આઈએએસ અધિકારી વર્ષિનીએ મીડિયાને અપીલ કરી કે તેઓ તેમના નિવેદનનું રાજકારણ ન કરે અને તેને સંદર્ભની બહાર ન લે. તેમણે કહ્યું કે સફાઈ કર્મચારીઓની અછતનો આરોપ પાયાવિહોણો છે. વર્ષિનીએ કહ્યું, "ઘરે માતા-પિતાને મદદ કરવી એ બાળકોની સામાન્ય દિનચર્યાનો એક ભાગ છે, તે તેમને આત્મનિર્ભર બનાવે છે." તેણીએ આગળ કહ્યું, "જો તમે વિદેશ જાઓ છો અથવા બીજા રાજ્યમાં અભ્યાસ કરો છો, તો તમારે તમારું કામ જાતે કરવું પડશે - જેમ કે રૂમ સાફ કરવું, કપડાં ધોવા, બાથરૂમ સાફ કરવું. આ પરિવર્તન બાળકો માટે એક પ્રક્રિયા છે અને તેને અનુકૂલન કરવામાં સમય લાગે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application