ઓડિયોમાં ડૉ. અલાગુ વર્ષિણી કહે છે, કે જપ વિદ્યાર્થીઓ રૂમ સાફ કરે છે . તેઓ પોતાના શૌચાલય કેમ સાફ કરી શકતા નથી? આ વિદ્યાર્થીઓ વૈભવી પરિવારોમાંથી નથી જ્યાં તેઓ જાય અને બેસતા જ ટેબલ પર ખોરાક આવી જાય. તેમણે એમ પણ કહ્યું કે વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવવા મહત્વપૂર્ણ છે, કારણ કે શાળા છોડ્યા પછી તેમને તેમના રોજિંદા કામકાજ જાતે કરવા પડશે.
વિપક્ષે સખત વાંધો ઉઠાવ્યો
આ નિવેદન પર તીવ્ર પ્રતિક્રિયા આપતા, ભારત રાષ્ટ્ર સમિતિના નેતા અને ભૂતપૂર્વ સેક્રેટરી ડૉ. આર. એસ. પ્રવીણ કુમારે મુખ્યમંત્રીને પૂછ્યું, "શું તમારા બાળકો પણ જે શાળામાં અભ્યાસ કરે છે ત્યાં બાથરૂમ ધોવે છે?" તેમણે આરોપ લગાવ્યો કે આ આદેશ દલિત વિદ્યાર્થીઓ સામે ભેદભાવપૂર્ણ છે અને અધિકારીને બરતરફ કરવાની માંગ કરી.તો બીજી તરફ બીઆરએસ એમએલસી અને ભૂતપૂર્વ સાંસદ કાલવકુંતલા કવિતાએ ટ્વિટર પર ઓડિયો ક્લિપ શેર કરીને કોંગ્રેસ સરકાર પર પ્રહારો કર્યા. "આ અધિકારીના વર્તનમાં કોંગ્રેસ સરકારનું ગરીબ વિરોધી વલણ સ્પષ્ટ દેખાય છે," તેમણે લખ્યું. તેમણે આરોપ લગાવ્યો કે બીઆરએસ શાસન દરમિયાન, દરેક શાળાને સફાઈ કર્મચારીઓની કામચલાઉ નિમણૂક માટે દર મહિને 40,000 રૂપિયા આપવામાં આવતા હતા, જે કોંગ્રેસ સરકારે મે મહિનાથી બંધ કરી દીધા છે.કવિતાએ એમ પણ કહ્યું કે રાજ્યની 240 ગુરુકુળ શાળાઓમાંથી સહાયક વોર્ડનને દૂર કરવામાં આવ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓ રસોડા અને સફાઈની જવાબદારી સંભાળી રહ્યા છે. તેમણે તેને બાળકોના અધિકારો અને ગૌરવની વિરુદ્ધ ગણાવ્યું અને કહ્યું કે આ વલણ "જાતિ ભેદભાવ અને શોષણ" ને પ્રોત્સાહન આપે છે.
મારા નિવેદનમાં રાજકારણ ન લાવો:આઈએએસ અધિકારીની સ્પષ્ટતા
વિવાદ વધ્યા પછી, બીજા એક ઓડિયોમાં, આઈએએસ અધિકારી વર્ષિનીએ મીડિયાને અપીલ કરી કે તેઓ તેમના નિવેદનનું રાજકારણ ન કરે અને તેને સંદર્ભની બહાર ન લે. તેમણે કહ્યું કે સફાઈ કર્મચારીઓની અછતનો આરોપ પાયાવિહોણો છે. વર્ષિનીએ કહ્યું, "ઘરે માતા-પિતાને મદદ કરવી એ બાળકોની સામાન્ય દિનચર્યાનો એક ભાગ છે, તે તેમને આત્મનિર્ભર બનાવે છે." તેણીએ આગળ કહ્યું, "જો તમે વિદેશ જાઓ છો અથવા બીજા રાજ્યમાં અભ્યાસ કરો છો, તો તમારે તમારું કામ જાતે કરવું પડશે - જેમ કે રૂમ સાફ કરવું, કપડાં ધોવા, બાથરૂમ સાફ કરવું. આ પરિવર્તન બાળકો માટે એક પ્રક્રિયા છે અને તેને અનુકૂલન કરવામાં સમય લાગે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 500ને પાર
June 04, 2025 08:07 PMબેંગલુરુ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ: 'ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના'
June 04, 2025 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech