અમરેલીના જાફરાબાદ તાલુકાના મીઠાપુર ગામે ધો.12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ફોન કરી ઘરે બોલાવ્યા બાદ તેણીના ભાઈએ વિદ્યાર્થી સગીરને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી જવા પામી છે, હત્યા નિપજાવનાર શખ્સને પોલીસે સંકજામાં લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મીઠાપુર ગામે રહેતો અને ગામની જ માધ્યમિક શાળામાં ધો.12નો અભ્યાસ કરતો જયદીપ જીણાભાઇ પરમાર (ઉ.વ.17)નો સગીર ગઈકાલે ઘરે હતો ત્યારે તેની સાથે અભ્યાસ કરતી મનુભાઇ બાંભણીયાની પુત્રીનો ફોન આવ્યો હતો અને તેને ઘરે બોલાવ્યા બાદ તેણીનો ભાઈ અંકુશ ઉર્ફે હકો મનુભાઇ બાંભણીયાએ જયદીપ સાથે બોલાચાલી કરી છરીનો ઘા પેટના ભાગે મારી દેતા યુવકનું સારવાર કારગત નીવડે પહેલા જ મોત નીપજ્યું હતું. છરીનો ઘા માયર્િ બાદ અંકુર ઉર્ફે હકાએ જયદીપ્ના પિતા જીણાભાઈને ફોન કરી તમારા પુત્રને છરીનો ઘા મારી દીધો છે અને મારા ઘર પાસે પડ્યો છે તેને લઇ જાવ તેમ જણાવી ફોન મૂકી દીધો હતો. આ જાણ થતા જ જયદીપ્ના પિતા અને માતા બંને ત્યાં પહોંચી જોતા પુત્ર જયદીપ લોહીલુહાણ હાલતમાં પડ્યો હતો. તાકીદે 108 મારફતે પ્રથમ રાજુલા અને ત્યાંથી મહુવા સરકારી હોસ્પિટલએ ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ જાફરાબાદ પોલીસને કરવામાં આવતા પીઆઈ પલાસ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને પોસ્ટમોટર્મ કરાવી જરૂરી કાર્યવાહી કરી મૃતકના પિતાની ફરિયાદના આધારે અંકુશ ઉર્ફે હકો મનુભાઇ બાંભણીયા સામે બીએનએસની કલમ 103(1) તથા જી.પી.એકટ ક.135 મુજબ ગુનો નોંધી સંકજામાં લીધો હતો. અને વધુ પુછપરછ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનના દાવા પોકળ, BLA એ કહ્યું- યુદ્ધ પૂરું થયું નથી, અમે પાક.ના 100થી વધુ સૈનિકો ઠાર કર્યા
March 14, 2025 02:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech