પોરબંદર નગરપાલિકાના તંત્ર દ્વારા સ્ટ્રીટ લાઈટ રાત્રે મોડી શરૂ કરવામાં આવે છે અને સવારે વહેલી બંધ કરવામાં આવે છે જેના કારણે સવારના સમયે દૂધના સપ્લાયરો થી માંડીને અખબારી ફેરીયાઓ અને વિદ્યાર્થીઓ સહિત દેવ દર્શને જતા વૃદ્ધોને હેરાનગતિ વેચવી પડતી હોવાથી યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માંગ થઈ છે.
પોરબંદરના સીનીયર સીટીઝન અશ્વિનભાઈ દવે એ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે હાલમાં સૂર્યોદય ૬.૩૦ આસપાસ થાય છે અને દિવસે દિવસે ૭.૦૦ સુધી પહોંચવા જશે ત્યાં સુધી અંધકાર હોય છે હાલમાં નગરપાલિકા ની સ્ટ્રીટ લાઈટ વહેલી સવારે ૫.૩૦ થી ૫.૪૫ નાં સમયે બંધ કરવામાં આવે છે જે યોગ્ય નથી કારણ કે સવારમાં આજ સમયે ખાસ કરીને સેંકડો ની સંખ્યા માં દુધના સપ્લાય કરવાનું શરૂ થઈ જાય છે. મોટા ભાગના લોકો સાયકલને સહારે સહારે અને પગપાળા જતા હોય છે દિનચર્યા શરૂ થઈ જાય છે અંધકાર ને લીધે અનેક પ્રકારના પ્રોબ્લેમ શરૂ થઈ જાય છે ચોમાસાને કારણે ઝેરી જાનવર પણ ફરતા હોય છે આવા સમયે જ લાઈટ જતી રહે છે એટલે કે બંધ જ કરવામાં આવે છે અને પ્રજાને અનેક પ્રકારની મુશ્કેલી પડે છે
સ્ટ્રીટ લાઈટ સવારે ૬.૩૦ કલાકે બંધ કરવા અને સાંજે પણ આજ સમયે જ ચાલુ થઈ જાય એમ વ્યવસ્થા કરવા માટે યોગ્ય કરવા માંગ થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech