સ્વસહાય જુથો દ્વારા ઉત્પાદિત વસ્તુઓને પ્રોત્સાહીત કરવા આયોજન: તા.૧૯ થી ૨૮ ઓક્ટોબર દરમિયાન જેએમસી ગ્રાઉન્ડમાં સ્વસહાય જૂથો દ્વારા બનાવેલ ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવશે
ભારત સરકારનાં ગ્રામીણ વિકાસ મંત્રાલય તથા ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ગ્રામિણ બી.પી.એલ. સ્વ-સહાય જુથો/સખી મંડળો/કારીગરો દ્વારા ઉત્પાદીત ચીજવસ્તુઓનાં સીધા વેચાણ માટે પ્રોત્સાહન પુરૂં પાડવા જામનગરમાં રાજ્યકક્ષાનો પ્રાદેશિક સરસ મેળો યોજાશે.
આગામી તા. ૧૯/૧૦/૨૦૨૪ થી ૨૮/૧૦/૨૦૨૪ સવારે: ૧૦.૦૦વાગ્યાથી રાત્રીના:૧૦.૦૦ વાગ્યા સુધી JMC ગ્રાઉન્ડ, મહાવીર પાર્ક, શ્રીજી હોલની બાજુમાં,ઓશવાળ- ૩,જામનગર ખાતે દિવાળીની ખરીદી માટે અવનવી વસ્તુઓનો મહાકુંભ એવા રાજય કક્ષાનાં "પ્રાદેશિક સરસ મેળા-૨૦૨૪"નું આયોજન હાથ ધરવામાં આવશે.
જેમાં સરકારની દિનદયાળ અંત્યોદય યોજના- રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન અંતર્ગત રચાયેલ ગામડાના સ્વસહાય જુથોના સભ્યો એવા મહિલા અને કારીગરો દ્વારા રાજ્યકક્ષાના મેળામાં તમામ જિલ્લાઓમાંથી સ્વસહાયજૂથના મહિલા સભ્યો દ્વારા ઉત્પાદિત હેન્ડીક્રાફ્ટ, હેન્ડલુમ, ફૂડપ્રોડક્ટ, ઓર્ગેનીક, હર્બલ, ઇમીટેશન જવેલરી, આયુર્વેદીક પ્રોડક્ટ,અગરબતી, માટીકામ, પેચવર્ક, ડ્રેસ મટિરિયલ ઘર સુશોભન ચીજવસ્તુઓ, ફાસ્ટ ફુડ, બેકરી પ્રોડકટ, અથાણા, પાપડ, ખાખરા જેવી હાથ બનાવટની સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના વેચાણ આકર્ષણ કેન્દ્ર બની રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech