શહેરમાં મોટા ભાગના વિસ્તારોમાં રસ્તાઓ ખોદી નખાયા છે. ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે. ચોમાસામાં જ નહીં હાલમાં ઉનાળામાં જ વાહન ચાલકો તોબો પોકારી ગયા છે. ત્યારે તાકિદના ધોરણે મોટરેબલ રસ્તાઓના કામો હાથ ધરવા તાકીદ કરવામાં આવી હતી.
મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં અધ્યક્ષ સ્થાનેથી ઢોરને પાંજરાપોળ મોકલવાના ઠરાવ સહીત કુલ ૫૫ કાર્યોની ચર્ચા વિચારણાના અંતે બહાલી આપવામાં આવી હતી. બેઠક દરમિયાન ખાસ કરીને રોડના કામો ઝડપથી હાથ ધરવા ટકોર કરવામાં આવી હતી, કારણ કે શહેરમાં રોડની ફરિયાદો વધી છે. મોટા ભાગના વિસ્તારોમાં અન્ડરગ્રાઉન્ડ લાઈનો નાખવાના કામો ચાલુ કરવામાં આવ્યા
છે, જેના લીધે મુખ્ય રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે. માટી પુરાણના લીધે વન વે રોડ પરથી ચાલતા વાહન ચાલકો તોબા પોકારી ગયા છે, ચોમાસામાં વધુ ખરાબ પરિસ્થિતિ સર્જાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ત્યારે ઝડપથી ખોદેલા રોડ પર કપચી નાખીને મજબુતાઈ સાથે મોટરેબલ રસ્તાઓ કરી દેવા સ્ટેન્ડીંગ કમીટીમાં તાકીદ કરવામાં આવી હતી.
જોકે જયા જયા ડ્રેનેજના પ્રોજેક્ટ ચાલુ છે, ત્યા ત્યા ટેન્ડરમાં જ જોગવાઈ
પ્રમાણે કામ પૂર્ણ થયા બાદ તેની ઉપર થોડા સમય બાદ માટી કાઢીને કપચી પુરાણ કરીને રસ્તો બેસે નહીં તે રીતે મોટરેબલ કામ કરવાની શરતો છે. પરંતુ ખોદકામ જ ચાલુ હોવાથી માટી પુરાણ થવામાં અને તેની ઉપરના કામોમાં ખાસો સમય લાગશે, જેથી ચોમાસામાં વિકટ સ્થિતિ સર્જાશે. બેઠક દરમીયાર રોડ, બ્લોક, આરસીસી રોડ, લાઈબ્રેરી, ડ્રેનેજ સહિત કુલ રૂપિયા ૨૫.૮૬ કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech