હવે શ્રી કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટ પણ મથુરામાં ભગવાન શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદના જમીન વિવાદમાં પક્ષકાર બનવા જી રહ્યું છે. અત્યાર સુધી આ વિવાદમાં શ્રી કૃષ્ણ જન્મભૂમિના માત્ર ભક્તો અથવા સનાતની લોકો સામેલ હતા, ત્યારે હવે શ્રી કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટે પણ 18 કેસમાં કેસ દાખલ કર્યો છે અને મંદિરની તરફેણમાં દાવા કરનારા તમામ દાવેદારોને એક થઈને કાનૂની લડાઈ લડવા આહ્વાહન કર્યું છે.
શ્રી કૃષ્ણ જન્મભૂમિ ટ્રસ્ટના સભ્ય વિનોદ કુમાર બિંદલે ગઈકાલે આ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમની સાથે ગોપેશ્વરનાથ ચતુર્વેદી પણ હાજર હતા. તેમણે કહ્યું કે હવે અમે ભગવાન કૃષ્ણના જન્મસ્થળ માટે અમારા તરફથી કેસ દાખલ કર્યો છે. કોર્ટે અમારા કેસની નોંધ લીધી છે. આવી સ્થિતિમાં આને લગતા બાકીના 17 કેસ નકામા ગણી શકાય. કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદની જમીન પરનો હક્ક પણ અમારો હોવાથી અન્ય કોઈ વાદી કે ભક્તે કેસ લડવો જરૂરી નથી.
વિનોદ કુમાર બિંદલે કહ્યું કે અમારી તમામ તૈયારીઓ કયર્િ પછી અમે અમારો કેસ દાખલ કર્યો છે અને હવે અમે ઇચ્છીએ છીએ કે જે બાકીના કેસ દાખલ કરવામાં આવ્યા છે તેઓ તેમની અરજીઓ અને કેસ પાછા ખેંચી લે. જો તેઓ ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિ પરત લાવવા માંગતા હોય તો તેઓએ અમારી સાથે ઉભા રહેવું જોઈએ અને અમારા કેસમાં જોડાવું જોઈએ.
તેમણે કહ્યું કે કાગળ પર અમે આ કેસમાં સાચા વાદી છીએ અને બાકી બધું નકામું છે. કારણ કે જો શાહી ઇદગાહને હટાવી દેવામાં આવશે તો શ્રી કૃષ્ણ જન્મભૂમિ માત્ર ટ્રસ્ટને જ મળશે, જ્યારે 18 કેસના કારણે શાહી ઇદગાહ મસ્જિદ સાથે સંકળાયેલ મુસ્લિમ પક્ષને આપણો કેસ નબળો પાડવામાં મદદ મળશે.
જન્મભૂમિના ટ્રસ્ટીએ કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે આ કેસના તમામ અરજદારો સાથે આવે અને તેમના કેસ પાછા ખેંચે. તેમનો કેસ લડવો પાયાવિહોણો છે કારણ કે કૃષ્ણ જન્મભૂમિ અમારી છે અને તમામ કાગળો પર ઇદગાહની જમીન પણ અમારી છે, તેથી અમારો કેસ મજબૂત છે. જુદા જુદા દાવાઓને કારણે કોર્ટની કાર્યવાહી બિનજરૂરી રીતે લાંબી થઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMસગીરાને સાહિલ ભગાડી ગયો: લવ જેહાદની શંકા
February 24, 2025 03:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech