સલાયા નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં રોગચાળો નિવારવા કરાયો દવા છંટકાવ

  • September 03, 2024 12:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાજેતરમાં થયેલા અતિ ભારે વરસાદને પગલે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું હતું, વરસાદ વિરામ લેતા પાણી ઓસર્યું છે અને જનજીવન પુર્વવત કરવા માટે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તાકીદે કામગીરી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત સલાયા નગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં પાણી નિકાલ અને સાફ સફાઈ બાદ દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ગંદકી, ભેજ અને પાણીને લીધે મચ્છરોની ઉત્પત્તિ અને રોગચાળો નિવારવા માટે સફાઈ અને દવા છંટકાવ ઉપરાંત પાણીનું ક્લોરીનેશન, સ્વાસ્થ્ય તપાસ વગેરે કામગીરી ત્વરાથી કરવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application